ઘર બેઠા જન્માષ્ટમીએ ભગવાન શામળિયા શેઠના રત્નજડિત સોનાવેશ શણગારના કરો દર્શન, જુઓ PHOTOs

Fri, 19 Aug 2022-6:45 pm,

શામળાજી મંદિરમાં શામળિયા શેઠ એક ઝલક મેળવવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આજના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો પાવન થાય છે એટલે એક ઝલક મેળવવા માટે લોકો લાઈનો લગાવીને બેઠા છે.  

શામળાજીમાં જન્માષ્ટમી પર્વને લઇને ભગવાનને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. શામળિયા શેઠને પીળા રંગના વાઘા અને સોનાના આભૂષણોથી ખાસ શણગાર કરવામાં આવ્યો છે. 

ભક્તો આ વિશેષ શણગારથી સજ્જ શામળિયાના દર્શન કરીને ભાવવિભોર બન્યા છે. આજે ભક્તોને આજે શંખ, ચક્ર, ગદા સાથે વિષ્ણુ અવતારના દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે. સોનાવેશમાં શામળાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link