Ketu Gochar 2023: કેતુની વક્રી ચાલ ભરી દેશે આ 4 રાશિના જાતકોની તિજોરી, ચારે તરફથી થશે લાભ જ લાભ

Mon, 12 Jun 2023-7:54 am,

કેતુના ગોચના કારણે આ રાશિના લોકોને શુભ ફળ મળશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને નવી નોકરી મળી શકે છે. આવકના સાધનો વધશે અને પરિવારમાં ખુશીઓ વધશે. લવ લાઈફ માટે પણ આ ગોચર ઘણું સારું સાબિત થઈ શકે છે. જો વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે તો તેમને સારા પરિણામ મળશે.

આ રાશિના લોકોને કેતુ શુભ ફળ આપશે. જે લોકો વેપારમાં ભાગીદારી કરવા માંગે છે તેમને મોટી ડીલ મળી શકે છે જેનાથી તેમને લાભ થશે. આ સમય દરમિયાન તમારી આવક પણ વધી શકે છે. આ સિવાય નોકરીમાં પણ શુભ પરિણામ મળવાની સંભાવના છે. લગ્ન ઈચ્છુક લોકોની ઈચ્છા પુરી થઈ શકે છે.

કેતુના પ્રભાવથી ધન રાશિના લોકો સુખ-સમૃદ્ધિનો આનંદ માણી શકશે. તમે જમીન કે વાહન પણ ખરીદી શકો છો. ભૌતિક સુખોમાં વધારો થશે. સમાજમાં નામ, સન્માન અને કીર્તિમાં વધારો થશે. તમને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે.

કેતુના ગોચરના કારણે મકર રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં લાભ વધશે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. આ સિવાય વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. જેમને વિદેશ જવું છે તેમની ઈચ્છા પુરી થઈ શકે છે.    

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link