Kitchen Tips: મરચાં સમારતા પહેલા હાથ પર લગાડી લો આ વસ્તુ, કિલો મરચાં કાપશો તો પણ હાથમાં નહીં થાય બળતરા

Fri, 22 Mar 2024-3:31 pm,

લીલા મરચા સમાર્યા પછી જો હાથમાં બળતરા થતી હોય તો હાથમાં ઠંડુ તેલ લગાડવું. તેલ લગાડીને સારી રીતે મસાજ કરો. થોડી જ મિનિટોમાં બળતરા દૂર થઈ જશે અને ઠંડક મળશે.

દહીં પણ બળતરા ને દૂર કરવામાં મદદ કરે છે. જો તીખા મરચા સમારવાથી ત્વચા પર બળતરા થતી હોય તો હાથ પર થોડી વાર દહીં લગાડી લેવું. પાંચ મિનિટમાં જ મરચાની બળતરા દૂર થઈ જશે.

જો તમને ખબર છે કે મરચાં તીખા છે તો પછી તેને સમારતી વખતે થોડી સાવધાની રાખવી શક્ય હોય તો હાથમાં ગ્લવ્ઝ પહેરીને મરચા સુધારવાનું રાખો.

ત્વચા પર થતી બળતરા દૂર કરી ત્વચાને ઠંડક આપવાનું કામ એલોવેરા જેલ પણ કરે છે. તમે એલોવેરા જેલની મદદથી બળતરા ને દૂર કરી શકો છો. 

જ્યારે પણ મરચા સમારવાના હોય તો તે પહેલા જ હાથમાં ઓઇલ લગાડો. તમે ચાકુ પર પણ તેલ લગાડી શકો છો તેનાથી નાક કે આંખમાં મરચાંની તીખાશ નડશે નહીં. હાથમાં પણ બળતરા નહીં થાય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link