Astro Tips: ઘરમાં આ સ્થળે બનાવો હળદરનો સાથિયો, ધન ચુંબકની જેમ ખેંચાઈ આવશે, જાણો યોગ્ય રીત અને નિયમ

Mon, 10 Jun 2024-10:40 pm,

હિન્દુ દર્મમાં ધાર્મિક આયોજનોમાં સ્વસ્તિક ચિન્હ બનાવવું શુભ ગણાય છે. સ્વસ્તિક ચિન્હ કા તો કંકુ કે પછી હળદરથી બનાવવામાં આવે છે. નવા ઘરમાં પ્રવેશ કરવો, નવા વાહનનું પૂજન, કે પછી શુભ કાર્યસ્થળ પર શુભ ચિન્હ જરૂર બનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સ્વસ્તિક ચિન્હ ખુબ ભાગ્યશાળી ગણાય છે. 

આમ તો કંકુથી બને છે પરંતુ હળદરથી પણ સાથિયો બનાવવામાં આવે છે. હળદરથી બનાવેલા સાથિયાના ચિન્હથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ તો આવે જ છે પરંતુ સાથે અનેક અન્ય લાભ થાય છે. જ્યોતિષ શાસ્ત્રથી જાણીએ આ હળદરવાળા સાથિયાથી થતા લાભ વિશે...

તમને એમ થાય કે ઘરમાં કયા સ્થળે હળદરનો સાથિયો બનાવવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હળદરનો સાથિય ઘરના મુખ્ય દ્વાર પર બનાવવો એ શુભ ગણાય છે. આ ઉપરાંત ઘરના મંદિરમાં પણ હળદરનો સાથિયો બનાવવો જોઈએ. આમ કરવાથી સમગ્ર ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે.   

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં સ્વસ્તિક ચિન્હ બનાવવાથી અનેક જૂની  બીમારીઓથી  છૂટકારો મળે છે. આથી જ્યારે પણ કોઈ લાંબી બીમારી સામે ઝઝૂમી રહ્યા હોય તો ઘરમાં હળદરનો સ્વસ્તિક ચિન્હ જરૂર બનાવો. 

ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સાથિયો બનાવવાથી તમામ સભ્યો પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે. એટલું જ નહીં તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન થાય છે.   

ઘરના મંદિરમાં હળદરનો સાથિયો બનાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નેગેટિવ ઉર્જા દૂર કરવા માટે મંદિરમાં પૂજા કરતી વખતે સાથિયો જરૂર બનાવવો જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link