કચ્છીઓએ સાથે મળીને ભુજિયા ડુંગરને રોશન કર્યું, સ્મૃતિવન 11 હજાર દીવડાથી ઝળહળી ઉઠ્યું

Sun, 23 Oct 2022-9:02 am,

2001ના વિનાશકારી ભૂકંપમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો એવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ખાતે દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી ધનતેરસના દિવસે કરવામાં આવી હતી. ધનતેરસની ઢળતી સાંજે અગિયાર હજાર કરતા વધુ દીવડાથી સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું હતું. ફ્રેન્ડસ ગ્રુપના આ આયોજનમાં અન્ય સમાજો અને સંગઠનો તેમજ પ્રજાજનો પણ જોડાયા હતા.

ફ્રેન્ડસ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, સ્મૃતિવન લોકાર્પણ થયા બાદની આ પ્રથમ દિવાળી યાદગાર રહે અને દિવાળીના દીવડાના ઝગમગાટની પરંપરા વધુ પ્રજવલ્લિત બને તેવા આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કોઈ એક સંસ્થાનું નહિ પણ તમામ લોકોનું બને તે માટે અન્ય સમાજો અને સંગઠનોએ પણ તેમાં ભાગ લીધો હતો.

લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરી દિવેલના ઉપયોગ કરી રૂની વાટ મારફત આ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આયોજનનો એક મહત્વનો ઉદેશ એ જ હતો કે, દીપોત્સવના માધ્યમથી ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભૂકંપમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એવા દિવંગતોના પરિવારજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. 

સ્મૃતિવનના સનસેટ પોઈન્ટથી સ્મૃતિવનના પ્રવેશ ગેટ સુધી દીવડાનો ઝગમગાટ જોવા મળ્યો હતો. સનસેટ પોઈન્ટ પર ઈલેકટ્રીક તો ચેકડેમ સહિતમાં માટીના કુદરતી દીવડા પ્રજવલ્લિત કરવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટીની સાથે સ્વચ્છતા સહિતની બાબતોની તકેદારી પણ રાખવામાં આવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link