Health Tips: આ પાંચ સ્વાસ્થ્ય સમસ્યામાં ભીંડા ખાવાથી વધારે ખરાબ થાય છે તબિયત

Thu, 16 May 2024-1:31 pm,

જે લોકોને કિડની સંબંધી સમસ્યા હોય તેમણે ભીંડા ખાવાનું ટાળવું જોઈએ. કિડની અને ગોલ બ્લેડરમાં પથરી હોય તો ભીંડા નુકસાનકારક સાબિત થાય છે. ભીંડાના કારણે પથરીની સમસ્યા વધી શકે છે. 

ઘણા લોકોને ગેસ અને બ્લોટીંગ વારંવાર થઈ જતું હોય છે. જો તમને પણ બ્લોટીંગની સમસ્યા રહેતી હોય તો ભીંડા ખાવાનું ટાળજો. ભીંડામાં ફાઇબર વધારે હોય છે જે પેટની આવી સમસ્યાઓને વધારી શકે છે. જો ગેસ હોય અને ભીંડા ખાવ તો તબિયત ખરાબ થઈ શકે છે.   

જે લોકોને શરદી અને ઉધરસ હોય તેમણે પણ ભીંડાનું સેવન કરવું નહીં. ભીંડાની તાસીર ઠંડી હોય છે. જો શરદી અને ઉધરસમાં ભીંડા ખાવામાં આવે તકલીફ વધી પણ શકે છે. આ સિવાય જે લોકોને સાઇનસની તકલીફ હોય તેમણે પણ ભીંડા ખાવા નહીં.

જો તમને પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો ભીંડા ખાવાનું ટાળજો. કારણ કે ભીંડા એવું શાક છે જેને પાણીને બદલે વધારે તેલમાં પકાવું પડે છે જો વધારે તેલમાં પકાવેલા ભીંડા નિયમિત ખાશો તો કોલેસ્ટ્રોલની સમસ્યા વધી શકે છે. 

જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમણે પણ ભીંડા ખાવાનું ટાળવું જોઈએ. ભીંડા ખાવાથી પાચન સંબંધિત સમસ્યા વધી શકે છે. પાચન નબળું હોય અને ભીંડા ખાવામાં આવે તો ડાયરિયા પણ થઈ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link