જીવનમાં છે સમસ્યા જ સમસ્યા ? તો અજમાવો લાલ કિતાબના સિદ્ધ ઉપાય, તુરંત મળશે છૂટકારો

Mon, 27 Feb 2023-11:55 am,

જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી હોય તો રોજ તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસા નો પાઠ કરીને હનુમાનજીની આરતી કપૂર પ્રજવલિત કરીને ઉતારવી.

જો ઘરની કોઈ દીકરી ના લગ્ન નક્કી થવામાં સમસ્યા થતી હોય અને તેને સારો સંબંધ મળી રહ્યો ન હોય તો દર સોમવારે શિવ મંદિરમાં જઈને ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરતા શિવજીનો દૂધ અને જલથી અભિષેક કરવો અને પછી બીલીપત્ર અર્પણ કરવું. 

જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ વધારે હોય તો શુક્રવારના દિવસે નવ વર્ષથી નાની ઉંમરની પાંચ કન્યાઓને ખીરનો પ્રસાદ ખવડાવો. આ ઉપાય સતત 21 શુક્રવાર સુધી કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થશે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદ રહે તો તમે કાળી ગાય પાળી શકો છો. જો આમ કરવું શક્ય ન હોય તો નિયમિત રીતે ગાયને સવારે અને સાંજે ઘરમાં બનેલી તાજી રોટલી ગોળ સાથે ખવડાવો. સાથે જ ગાયની સેવા કરો તેનાથી ઘરમાં બરકત રહે છે.

જો તમારા જીવનમાં આર્થિક સંકટ હોય તો શનિવાર અથવા તો મંગળવારના દિવસે પાણીવાળું નાળિયેર લેવું ત્યાર પછી તેને તમારા માથા ઉપરથી 21 વખત ઉતારો અને પછી કોઈ મંદિરમાં અથવા તો અગ્નિકુંડમાં પધરાવી દો. આમ કરવાથી તમારા જીવનની આર્થિક સમસ્યા દૂર થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link