Improve Eyesight: આહાર અને જીવનશૈલીમાં કરો આ 5 ફેરફારો, વધી જશે આંખોનું તેજ!

Wed, 28 Aug 2024-3:42 pm,

આપણી ખરાબ ટેવોને કારણે આંખોનું તેજ ઓછું થાય છે. તેનું મુખ્ય કારણ વધતી ઉંમર, ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ આહાર છે.

પરંતુ એક વખત આંખોનું તેજ નબળું પડી જાય તો તેને સુધારવુ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સમાચારમાં અમે તમને કુદરતી રીતે આંખોનુ તેજ વધારવાના ઉપાયો જણાવીશું.

ગાજરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે અને તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ એક ગાજર ખાવાથી આંખના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી પણ આંખો માટે ફાયદાકારક છે. તેમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે આંખોનું તેજ સુધારવામાં મદદ કરે છે.

માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઓમેગા-3 ફેટી એસિડ આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને દૃષ્ટિ સુધારે છે.

ઊંઘ પણ આંખ સંબંધિત સમસ્યાઓનું કારણ છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે આપણે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

લાંબા સમય સુધી સ્ક્રીનને જોવી એ આંખો માટે સારું નથી. તેથી બને તેટલું ઓછી સ્ક્રીન જોવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link