વાળમાં લગાવો આ પાંદડાની પેસ્ટ, ખરતા વાળ થઈ જશે બંધ

Thu, 06 Jul 2023-3:19 pm,

 

મોરિંગાના ઝાડને મિરેકલ ટ્રીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના પાંદડામાં ભરપૂર વિટામિન, મિનરલ્સ અને કેલ્શિયમ હોય છે. આ કારણે મોરિંગા ખરતા અને તૂટતા વાળને રોકવામાં મદદ કરે છે. મોરિંગાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ, ઓમેગા 3, ફેટી એસિડ, ફોલેટ અને ફાઈબર હોય છે, જે વાળના રોમને નુકસાન થતાં બચાવે છે. 

 

તમે ખરતા વાળમાં મોરિંગાના પાંદડાની પેસ્ટ લગાવી શકો છો. તેને બનાવવા માટે પહેલા પાંદડાને પીસી લો અને પછી તેમાં નાળિયેરનું તેલ મિક્સ કરો. આ હેર માસ્કને વાળમાં સારી રીતે લગાવો. થોડા સમય બાદ હેર વોશ કરી લો. આમ કરવાથી ખરતા વાળ બંધ થઈ જશે. 

વાળમાં તમે મોરિંગાની ચાના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો. તે માટે પાણીમાં તાજા મોરિંગાના પાંદડા ગરમ કરી ઉકાળી લો, પછી તેને ઠંડા થવા દો. તેને લગાવતા પહેલા શેમ્પૂથી વાળ દોઈ લો અને પછી ચાના પાણીને નાખીને સ્કેલ્પની માલિશ કરો. 20 મિનિટ બાદ વાળ ધોઈ નાખો. 

આ સિવાય તમે વાળમાં મોરિંગના પાંદડાનું તેલ પણ લગાવી શકો છો. તે માટે તમે તેના પાંદડાનો પાઉડર નાળિયેરના તેલમાં મિક્સ કરી લો, ત્યારબાદ તેને ગરમ કરો, જ્યાં સુધી તે લિક્વિડ ફોર્મમાં ન આવી જાય. 

પછી હુંફાળા તેલને સ્કેલ્પ પર લગાવો અને થોડી મિનિટો સુધી માલિશ કરો. તેલને આખી રાત માથામાં લગાવી રાખો અને સવારે વોશ કરો. આમ કરવાથી થોડા દિવસમાં ખતરા વાળ બંધ થઈ જશે. 

 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link