24 કલાકમાં પલટાઈ જશે ભાગ્ય, અત્યંત શક્તિશાળી રાજયોગ બનતા જ આ 3 રાશિવાળા થશે માલામાલ, બંપર આકસ્મિક ધનલાભ થશે!

Mon, 23 Sep 2024-9:59 am,

ચંદ્ર વિશે કહીએ તો  જ્યોતિષ શાસ્ત્રમાં તે એકમાત્ર એવો ગ્રહ છે જે ઝડપથી રાશિ પરિવર્તન કરે છે. એક રાશિમાં આશરે અઢી દિવસ રહે છે. એટલે દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે ચંદ્રમાની યુતિ  થતી હોય છે. ચંદ્રમા માતા, મનોબળ, મન, સ્વભાવ, કળા, રચનાત્મકતા વગેરેના કારક ગ્રહ ગણાય છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચંદ્રમાની મંગળ સાથે યુતિ થવાની છે જેના કારણે મહાલક્ષ્મી નામના રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં તે ખુબ શુભ મનાય છે. આ રાજયોગ બનવાથી જાતકોને માન પ્રતિષ્ઠા, ધન સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ વગેરે મળી શકે છે. હાલ ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે. તેઓ 20 ઓક્ટોબર સુધી મિથુન રાશિમાં રહેશે. ચંદ્રમાની વાત કરીએ તો 24 સપ્ટેમ્બરે સવારે 9.55 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 26 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. જાણો કોના માટે લકી રહેશે આ સમય. 

મેષ રાશિના જાતકો માટે મહાલક્ષ્મી યોગ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને અકલ્પનીય ધનલાભ થઈ શકે છે. કરિયર ક્ષેત્રે પણ તમને ખુબ લાભ થઈ શકે છે. તમારા દ્વારા થઈ રહેલા પ્રયત્નોથી ઉચ્ચ પ્રગતિ થઈ શકે છે. વેપારમાં પણ ખુબ લાભ મળશે. પરંતુ પાર્ટનર દ્વારા થતા વેપારમાં થોડી પરેશાની આવી શકે છે. આર્થિક સ્થિતિ જોકે સારી રહેશે. અચાનક ધનલાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય વીતશે. કોઈ મુસાફરીનું પ્લાન કરી શકો છો. 

કુંભ રાશિમાં મહાલક્ષ્મી યોગ પંચમ ભાવમાં બની રહ્યો છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આવામાં આ રાશિના જાતકોને પરિવારના સાથની સાથે સૌભાગ્યમાં વધારો થશે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ રહેશે. કરિયરના ક્ષેત્રમાં તમને ઉચ્ચ પદની સાથે પગારમાં પણ વધારો મળી શકે છે. વેપારમાં સારો એવો નફો થઈ શકે છે. ભાગીદારીમાં કરાયેલા વેપારથી તમને ખુબ લાભ મળી શકે છે. આયાત નિકાસના વેપારમાં તમને લાભ મળી શકે છે. પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

ધનુ રાશિના જાતકો માટે મહાલક્ષ્મી રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધુ રહેશે. આ સાથે ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે. કરિયર ક્ષેત્રે તમને ખાસ લાભ મળી શકે. ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળે જે લોકો વિદેશમાં ભણવાના સપના સેવતા હશે તેમને પણ સફળતા મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ સ્થપાઈ શકે. તમારા  કામને જોતા કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે જેનાથી તમે અનેક કાર્યોમાં સફળતા મેળવી શકશો. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link