ઔરંગાબાદ: 36 KM ચાલીને થાકી ગયેલા શ્રમિકો પાટા પર સૂઈ ગયા અને માલગાડીએ કચડી નાખ્યા, દર્દનાક PHOTOS

Fri, 08 May 2020-2:10 pm,

19 જેટલા આ મજૂરો મહારાષ્ટ્રની એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતાં. લોકડાઉનના કારણે કામ બંધ હતું. તેમણે વિચાર્યું હશે કે આવામાં ઘરભેગા થઈ જઈએ. લોકડાઉનમાં મુસાફરીના સાધનો બંધ છે અને ઔરંગાબાદ રેલવે સ્ટેશને પહોંચવું જરૂરી હતી. 

આ તમામ મજૂરો મધ્ય પ્રદેશના હોવાનું કહેવાય છે. મધ્ય પ્રદેશ માટે ઔરંગાબાદથી ટ્રેન દોડી રહી હતી. આથી બધા પાટા-પાટા ચાલીને જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યાં હતાં. બંને વચ્ચેનું અંતર લગભગ 60 કિમી છે.   

કોરોના વાયરસના કારણે ટ્રેનો દોડતી નથી. આથી તેમિને લાગ્યું હશે કે હાલ કોઈ ટ્રેન નહીં હોય. આવામાં રાતે જ થાકીને 16 લોકો પાટા પર પાથરીને સૂઈ ગયાં. જ્યારે 2 બરાબર બાજુમાં અને બાકીના થોડેદૂર સૂઈ ગયાં.

આ જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. સવાર સવારમાં એક માલગાડી ત્યાંથી પસાર થઈ અને તેમને મોતની ગોદમાં સૂવાડી ગઈ. 

પાટા પાસેનો નજારો ડરામણો હતો. ચારેબાજુ લાશો પડી હતી. પાટા પર તેમનો સામાન અને રોટી પડી હતી. આ લોકો મુસાફરી માટે તે લાવ્યાં હશે.  

આ અકસ્માત બાદ હવે રેલ મંત્રાલય તરફથી તપાસના આદેશ અપાયા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link