4 રાશિના લોકો પર રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા, મહાશિવરાત્રિ પર આ રીતે પૂર્ણ થશે દરેક મનોકામના

Mon, 21 Feb 2022-3:47 pm,

 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 4 રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા હંમેશા રહે છે. તેની પાછળ કેટલાક ખાસ કારણો છે. મહાશિવરાત્રીના અવસર પર જો આ રાશિના લોકો શિવને પ્રસન્ન કરવાના ઉપાય કરે તો તેમની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.

 

મેષ રાશિના લોકો પર ભગવાન શંકર હંમેશા દયાળુ રહે છે. તેમજ આ રાશિથી ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. તેથી આ રાશિના લોકોએ હંમેશા શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ. મહાશિવરાત્રિના દિવસે પણ જો તમે પૂર્ણ ભક્તિભાવથી શિવને જલાભિષેક કરીને તમારી મનોકામનાઓ માંગશો તો શિવ અવશ્ય પૂર્ણ કરશે.

 

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રદેવ અને શુક્રાચાર્ય ભોલેબાબાના ભક્ત છે. તેથી આ મહાશિવરાત્રિ પર ભોલેનાથની પૂજા કરવાથી તમને ઘણો ફાયદો થશે. આ સાથે સંતાન સુખ પ્રાપ્ત થશે.

 

મકર રાશિના લોકો પર હંમેશા ભગવાન શિવની કૃપા રહે છે. આ લોકોએ દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તેનાથી તેમને દરેક બાબતમાં સફળતા મળશે. તો બીજી તરફ મહાશિવરાત્રિ પર પણ ભગવાન શિવની વિશેષ પૂજા કરો, તેનાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

 

કુંભ રાશિના લોકો પર પણ ભગવાન શિવ હંમેશા દયાળુ રહે છે. દરરોજ શિવલિંગ પર જળ અર્પિત કરવું અને સોમવારે ક્ષમતા અનુસાર દાન કરવાથી જીવનમાં ખૂબ ધન અને સુખ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિ પર શિવનો અભિષેક પણ કરો. આનાથી ઘણો ફાયદો થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link