મકરસંક્રાંતિના અવસરે પાવન નદીઓ પર લોકો લગાવી રહ્યાં છે `આસ્થાની ડૂબકી`, શ્રદ્ધાળુઓનો જમાવડો
હિન્દુ ધર્મના આ પાવન પર્વ પર આજે સવારે દેશની પ્રમુખ નદીઓમાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. બાબા વિશ્વનાથની નગરી વારાણસીના ગંગા ઘાટો પર સવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યાં અને આસ્થાની ડૂબકી લગાવી.
વારાણસીમાં છેલ્લા એક અઠવાડિયાથી શીત લહેર ચાલી રહી છે. પરંતુ દશાશ્વમેઘ વિસ્તાર સહિત ગંગા કિનારે તમામ પ્રમુખ ઘાટો પર મોડી રાત સુધી બહારથી આવનારા લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જિલ્લા તથા પોલીસ પ્રશાસને પણ સ્નાન કરતા આવનારા લોકોને અસુવિધાથી બચાવવા માટે પુરતો બંદોબસ્ત કર્યો છે. સ્નાન દરમિયાન ઘાટો ઉપરાંત ગંગાની બીજી તરફ પણ શ્રદ્ધાળુઓની ખુબ ભીડ જોવા મળી.
વારાણસીમાં છેલ્લા એક અઠવાડિયાથી શીત લહેર ચાલી રહી છે. પરંતુ દશાશ્વમેઘ વિસ્તાર સહિત ગંગા કિનારે તમામ પ્રમુખ ઘાટો પર મોડી રાત સુધી બહારથી આવનારા લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જિલ્લા તથા પોલીસ પ્રશાસને પણ સ્નાન કરતા આવનારા લોકોને અસુવિધાથી બચાવવા માટે પુરતો બંદોબસ્ત કર્યો છે. સ્નાન દરમિયાન ઘાટો ઉપરાંત ગંગાની બીજી તરફ પણ શ્રદ્ધાળુઓની ખુબ ભીડ જોવા મળી.
પ્રયાગરાજના સંગમ ઘાટ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને માઘ મેળામાં સ્નાન કર્યું. હરિદ્વાર, ગઢમુક્તેશ્વરના વ્રજ ઘાટ (હાપુડ), પ્રયાગરાજના સંગમ ઘાટ પર મકર સંક્રાંતિના પર્વ માટે સવારથી જ લોકોની ભીડ ઉમટી છે.
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના પાવન પર્વ પર જપ, તપ, દાન, સ્નાન, તર્પણ વગેરેનો ખુબ મહિમા છે. એવી ધારણા છે કે આ અવસરે કરાયેલું દાન સો ગણું વધીને પાછું પ્રાપ્ત થાય છે.