Mangal Gochar 2024: માર્ચમાં ગ્રહોના સેનાપતિ બદલશે પોતાની ચાલ, આ 4 રાશિઓનું થશે `મંગળ`

Wed, 28 Feb 2024-4:37 pm,

મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જેની કુંડળીમાં મંગળ મજબૂત હોય છે તે વ્યકતિ સાહસી અને નિડર હોય છે. 15 માર્ચના રોજ મંગળ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલાંથી જ શનિ બિરાજમાન છે જેનાથી શનિ અને મંગળની યુતિ થશે. મંગળ ગોચરની અસર આ 4 રાશિઓના જાતકો માટે શુભ થવાની છે.   

મેષ રાશિના લોકો માટે મંગળનું ગોચર શુભ માનવામાં આવે છે. લાંબા સમયથી કામમાં જે અવરોધો આવી રહ્યા હતા તે દૂર થશે અને સફળતા મળશે. જે લોકો સરકારી નોકરીની શોધમાં હતા તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વિવાહિત જીવન પહેલા કરતા સારું રહેશે અને તમને તમારા જીવનસાથીનો સપોર્ટ મળશે.

સિંહ રાશિના લોકો માટે કુંભ રાશિમાં મંગળનું ગોચર ફળદાયી રહેશે. કરિયરમાં ઉન્નતિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે. આર્થિક લાભની પણ શક્યતાઓ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. જો તમે કોઈ સમસ્યાથી પરેશાન છો તો તેનાથી પણ તમને રાહત મળી શકે છે.

મકર રાશિના લોકો માટે મંગળનું ગોચર લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. જો તમે લાંબા સમયથી બીમાર છો તો તમને ચોક્કસ રાહત મળી શકે છે. ધનલાભના નવા સ્ત્રોત બનશે જે આર્થિક સમસ્યાઓથી રાહત આપશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે.

મંગળનું ગોચર કુંભ રાશિના લોકો માટે ભાગ્યને જાગૃત કરી શકે છે. કાર્યમાં સફળતા મળી શકે છે. વ્યાપારીઓ નફો કરી શકે છે અને સારા નાણાકીય લાભની સંભાવના પણ બની શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે અને સકારાત્મક અનુભવ થશે. વ્યાપારીઓ માટે પણ આ સમય સારો રહેવાનો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link