Mangal Gochar 2024: આવતા મહિને કુંભ રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના સેનાપતિ! કમાઈ જશે આ 5 રાશિવાળા
જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલા રાશિવાળા માટે મંગળ ગોચર ફળદાયી રહેશે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. વિવાહિત જીવનમાં સુધારો થશે અને ઘર ખુશીઓથી ભરાઈ જશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતકો માટે શનિનું મંગળ ગોચર ખૂબ જ ફાયદાકારક ગણાય છે. વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સારો રહેશે આ સમય. પગારમાં વધારો થશે. કાર્ય ક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિના લોકો માટે મંગળનું ગોચર શુભ ગણાય છે. પરિવારમાં પણ રહે છે સારો સંપ. જીવનસાથી સાથે સારો સમય વિતાવવાની મળશે તક. રાજકીય ક્ષેત્રમાં જશો તો થશે ફાયદો.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિના લોકો માટે મંગળનું ગોચર સારું રહેશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે, રોકાયેલાં નાણાં પરત આવશે. ધનલાભના નવા સ્ત્રોત ખુલી શકે છે. જે લોકો રાજકારણમાં છે અથવા તેમાં જવા માગે છે તેમના માટે આ સમય અનુકૂળ છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંભ રાશિમાં મંગળનું ગોચર કર્ક રાશિ માટે સારું માનવામાં આવે છે. કર્ક રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. હાલના સમયમાં તમે ગાડી કે બંગલો પણ ખરીદી શકો છો. મિલકત ખરીદવાના સારા યોગ છે.