ગણતરીના કલાકોમાં મંગળ કરશે ધન-વૈભવ આપતા નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે!

Sun, 29 Sep 2024-10:06 am,

વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહને ઉર્જા, સાહસ, શારીરિક બળ, કાર્યક્ષમતા અને ચલ અચલ સંપત્તિ, જેમ કે વાહન, જમીન, મકાન વગેરેનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે. જ્યારે મંગળ ગ્રહ કોી વિશેષ નક્ષત્રમાં ગોચર કરે છે ત્યારે તેઓ તે નક્ષત્રના સ્વભાવ અને પોતાના સ્વભાવના મેળથી કેટલાક ખાસ ફળ આપે છે. સોમવારે 30 સપ્ટેમ્બરે ગ્રહોના સેનાપતિ મંગળદેવ પુનર્વસુ નક્ષત્રમાં ગોચર ક રશે. પુનર્વસુ નક્ષત્રને ધન, વૈભવ, અને સુખ સમૃદ્ધિના કારક માનવામાં આવે છે અને તેના સ્વામી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ  પુનર્વસુ નક્ષત્રમાં મંગળ ગોચરનું પરિણામ કેટલીક રાશિઓ માટે સારું પણ હોય છે. તો કેટલીક રાશિઓ માટે ખરાબ હોય છે. આ નક્ષત્રમાં આવવાથી અને મંગળની ચાલમાં આવેલા બદલાવથી 3 રાશઓ પર સકારાત્મક પ્રભાવ પડવાની શક્યતા છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે...

મંગળની ઉર્જા અને પુનર્વસુના ધન આપવાની ક્ષમતા ભેગા થવાથી મેષ રાશિના જાતકોમાં ઉત્સાહનું સ્તર વધવાના યોગ છે. ધન ભેગું કરવા પ્રત્યેની તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશો. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. નોકરીમાં બધુ કામ સુવ્યવસ્થિત ઢબે થવાની શક્યતા છે. વધારાની આવકની કોઈ નવી તક મળી શકે છે. વેપારથી પ્રાપ્ત ધનલાભમાં વધારો થશે. કરજથી મુક્તિ મળી શકે છે. મોટા ભાઈ બહેનોની સાથે મધુર સંબંધો રહેશે. લાઈફ પાર્ટનરની સહાયતાથી કોઈ નવું કામ શરૂ થઈ શકે છે.   

સિંહ રાશિના જાતકો પુનર્વસુ નક્ષત્રમાં મંગળ ગોચરથી વધુ આત્મવિશ્વાસુ બનશે. તમે બીજાને પ્રભાવિત કરવામાં સક્ષમ હશો. તમારી કાર્ય ક્ષમતામાં વધારો થશે. આર્થિક લાભ થવાની શક્યતા છે. નોકરીયાતોને નોકરીમાં સારું ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનના યોગ છે. રિટેલ વેપારમાં નફો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. મોટા ભાઈની મદદથી જમીનમાં કોઈ સારી ડીલ થઈ શકે છે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. મેરેજ લાઈફમાં મધુરતા રહેશે. લવ લાઈફમાં રોમાંચ વધશે. પાર્ટનર સાથે ટુર પર જઈ શકો છો. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. 

મંગળ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી તમારું મન શાંત અને સ્થિર રહેશે. નોકરીમાં કોઈ નવી તક મળી શકે છે. સારો પગાર મળવાની શક્યતા છે. કારોબારમાં વધારો થશે, મુસાફરી અને મીટિંગ સફળ રહેશે. નવી ડીલ મળી શકે છે. તમને અચલ સંપત્તિઓ જેમ કે જમીન, મકાન, દુકાન વગેરેમાં રોકાણ કરવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત સંસ્થાનમાં પ્રવેશ મળી શકે છે. મોટા ભાઈ બહેનો સાથે સંબંધ મધુર રહેશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. મેરેજ લાઈફમાં પાર્ટનરનો પૂરો સહયોગ મળશે. રિલેશનશીપમાં રહેતા લોકો એકબીજાને સારી રીતે સમજી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link