Mangalwar ke Upay: જીવનમાં સુખ-શાંતિ અને પ્રગતિ કરવા માંગતા હોવ તો મંગળવારે આ ઉપાય અચૂક કરો

Tue, 05 Dec 2023-9:27 am,

મંગળવારના દિવસે હનુમાન યંત્રની સ્થાપના કરવાથી બજરંગબલીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે. 

મંગળવારે તુલસીની માળા લઈને 11 વખત રામ નામના જાપ કરો, આમ કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. 

જીવનમાં આવનારી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરવા માટે દર મંગળવારે સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ ચડાવવું જોઈએ. 

ક્રોધ એ માણસનો સૌથી મોટો દુશ્મન ગણવામાં આવે છે. અનેકવાર ગુસ્સો કરવાના કારણે તમારા બનેલા કામ બગડતા હોય છે. ગુસ્સો ઓછો કરવા માટે દર મંગળવારે વ્રત રાખીને ભગવાન હનુમાનની આરાધના કરો. 

જો તમે કોઈને કોઈ બીમારીથી પરેશાન રહેતા હોવ તો દર મંગળવારથી સતત 21 દિવસ સુધી હનુમાન બાહુકનો પાઠ કરો. આ માટે ભગવાન હનુમાનની પ્રતિમા સામે સ્વચ્છ આસન પર બેસીને એક પાત્રમાં પાણી રાખો. હનુમાન બાહુકનો પાઠ કર્યા બાદ તે પાણી પી જાઓ.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link