18 મહિના બાદ મંગળ કરશે પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો

Tue, 10 Sep 2024-3:15 pm,

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ભૂમિ, પ્રોપર્ટી, જમીન-સંપત્તિ, રક્ત, ક્રોધ અને ઉત્તેજનાનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે પણ મંગળ ગ્રહની ચાલમાં ફેરફાર થાય છે તો આ સેક્ટરો પર વિશેષ પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ ઓક્ટોબરમાં કર્ક રાશિમાં ગોચર કરશે. જે મંગળની નીચ રાશિ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આમ તો કોઈ ગ્રહ નીચ રાશિમાં અશુભ ફળ પ્રદાન કરે છે. પરંતુ અહીં પર નીચભંગ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી ત્રણ રાશિના જાતકો માટે ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. સાથે તેને ધન-સંપત્તિમાં લાભ થઈ શકે છે. આવો તે રાશિઓ વિશે જાણીએ.

તમારા માટે મંગળ ગ્રહનું કર્ક રાશિમાં  આવવું લાભદાયક રહી શકે છે. કારણ કે મંગળ તમારી રાશિથી લગ્ન ભાવ પર સંચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયમાં તમને સંપત્તિની લેતી-દેતીમાં લાભ થઈ શકે છે. સાથે સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. છેલ્લા એક વર્ષથી તમે જે મહેનત કરી રહ્યાં છો તેનું ફળ મળવાની પ્રબળ સંભાવના છે. આ સમયે તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. સાથે જે લોકો પરીણિત છે  તેનું લગ્ન જીવન ખુશ રહેશે. આ સમયે નોકરી કરનાર જાતકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે.  

મંગળ ગ્રહનું ગોચર મીન રાશિના જાતકો માટે શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવ પર સંચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે અંગત જીવનમાં તમને પિતા અને ગુરૂજનોનો સહયોગ મળશે. આ સમયે પારિવારિક જીવન શાનદાર રહેશે. પરિવારના સભ્યોની સાથે તમારા સંબંધ મધુર રહેશે. સાથે જે લોકોને પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે, તેને આ સમયમાં સફળતા મળી શકે છે. આ સમયમાં તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે.

તમારા લોકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર ગોચર કરી રહ્યાં છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત બની શકે છે. જો તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમય તમારા માટે ઉત્તમ છે. સાથે આ સમયે રોકાણ કરવાથી તમને લાભ મળી શકે છે. આ સમયમાં તે લોકોને લાભ થઈ શકે છે, જે લોકો ઈમ્પોર્ટ અને એક્સપર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link