ભારતે હુમલો કર્યાનો ખુદ પાકિસ્તાને આ Photosથી આપ્યો પુરાવો

Tue, 26 Feb 2019-10:34 am,

ભારતીય વાયુસેનાએ આ સર્જિકલ સ્ટ્રાઈક આજે સવારે 3.30 કલાકે કરી છે. ભારતીય વાયુસેનાએ જૈશ-એ-મોહંમદના અનેક સ્થાનો તબાહ કરી દીધા છે. (તમામ ફોટો સાભાર @OfficialDGISPR)

 

પાકિસ્તાને સેનાએ સ્વીકાર્યું છે કે, ભારતીય વાયુસેના પીઓકેમાં દાખલ થઈ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઈન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે.

ગફૂરે આ હુમલાની તબાહીની તસવીરો પણ શેર કરી છે. જેનાથી અંદાજ લગાવી શકાય છે કે, વાયુસેનાએ કેવી રીતે તબાહી મચાવી હશે. પાકિસ્તાને ખુદ એરફોર્સની કાર્યવાહની તસવીરો શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ પુલવામા હુમલાના 24 કલાકની અંદર મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. પુલવામા હુમલા બાદ આ કાર્યવાહીને પાકિસ્તાને સ્વીકાર કર્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, વાયુસેનાના આ હુમલામાં 200થી 300 આતંકી માર્યા ગયા હોવાનું કહેવાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link