Vastu Tips: વ્યક્તિની આ ભૂલોના કારણે ઘરમાં આવે છે ગરીબી, વાસ્તુ દોષનું પણ બને છે કારણ

Sun, 28 Jan 2024-3:28 pm,

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કરવામાં આવેલી કેટલીક ભૂલો વ્યક્તિને કરજમાં ડુબાડી શકે છે. આ ભુલો ગરીબીનું કારણ બને છે અને ધીમે ધીમે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. તેથી આ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય અંધારું ન રાખવું. ખાસ કરીને સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર લાઇટ રાખો. જો શક્ય હોય તો દરરોજ દીવો પણ પ્રગટાવો. મુખ્ય દ્વારા પર અંધારુ રાખવાથી ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે.

ખોરાક અને પાણીનો ક્યારેય બગાડ ન કરો. ખોરાક ફેંકવાથી અથવા તેમનું અપમાન કરવાથી માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે. આ સિવાય ઘરના કોઈપણ નળમાંથી ટપકતું પાણી પણ વ્યક્તિને ધન હાનિ કરાવે છે.

તૂટેલી તસ્વીરો કે તૂટેલી મૂર્તિઓ ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓ થાય છે. આવા ઘરમાં ક્યારેય ભગવાન વાસ કરતા નથી. આવી જગ્યાએ પારિવારિક સંબંધો પણ ખરાબ રહે છે અને પરિવારના લોકો વચ્ચે ઝઘડા થતા રહે છે.

ઘરનું ગંદુ રસોડું અને બાથરૂમ મુખ્ય વાસ્તુ દોષમાંથી એક છે. જે ઘરમાં રસોડું અને બાથરુમ ગંદા હોય તે ઘરમાં સંપત્તિ ક્યારેય ટકતી નથી. આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link