Powerful Mantras: આ છે 5 સૌથી શક્તિશાળી મંત્ર, જાપ કરનાર પર વરસે છે ધન અને સમૃદ્ધિ

Tue, 30 Jul 2024-6:02 pm,

જી હાં, શાસ્ત્રોમાં એવા 5 મંત્ર વિશે જણાવવામાં આવ્યું છે જેના વિશે કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ અપાર સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત કરી શકે છે. વિશ્વાસ અને શ્રદ્ધા સાથે જે પણ વ્યક્તિ આ મંત્રનો જાપ નિયમિત કરે તે સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. 

દેવી ગાયત્રીને સમર્પિત ગાયત્રી મંત્ર સૌથી જૂના અને શક્તિશાળી મંત્રમાંથી એક છે. ગાયત્રી મંત્ર દરેક વ્યક્તિને આવડતો હશે પરંતુ તેની શક્તિનો લાભ ખૂબ ઓછા લોકો મેળવે છે. શાંત વાતાવરણમાં બેસીને ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે તો જીવનમાં જાદુ જેવો અનુભવ થાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સમૃદ્ધિ આકર્ષિત કરવામાં મદદ મળે છે. 

"ઓમ ગં ગણપતયે નમઃ" આ મંત્ર ગણેશજીને સમર્પિત છે. શાસ્ત્ર અનુસાર આ મંત્ર સૌભાગ્ય લાવનાર મંત્ર છે. આ મંત્રનો જાપ સાચી શ્રદ્ધા અને શુદ્ધ અંત:કરણ સાથે  નિયમિત કરવામાં આવે તો જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ વધે છે. 

" યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: " દેવી દુર્ગાનો આ મંત્ર દિવ્ય ઉર્જાને સમર્પિત છે. જે વ્યક્તિ શક્તિની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે તેમણે આ મંત્રનો જાપ નિયમિત કરવો જોઈએ. આ મંત્રનો નિયમિત શુદ્ધ હૃદયથી જાપ કરવાથી કલ્યાણ થાય છે 

દેવી વસુંધરાને સમર્પિત આ મંત્ર જીવનમાં પ્રચુર સમૃદ્ધિ આપે છે. આ મંત્રમાં દેવી વસુંધરા પાસેથી ભૌતિક અને આધ્યાત્મિક ધનના આશીર્વાદ માંગવામાં આવે છે. આ મંત્ર વિશે કહેવાય છે કે તેનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિ સમૃદ્ધિને જીવનમાં આકર્ષિત કરવામાં સફળ રહે છે. 

"ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યે નમ:" હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી તરીકે પૂજવામાં આવે છે. દેવી લક્ષ્મીના અલગ અલગ મંત્રોમાંથી આ સૌથી શક્તિશાળી અને ઝડપથી ફળ આપનાર મંત્ર ગણાય છે. આ મંત્રનો જાપ એકાગ્ર મનથી રોજ કરવામાં આવે તો વ્યક્તિ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેના જીવનમાં ધનનો પ્રવાહ વધે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link