એક એવો રહસ્મય કુંડ, જ્યાં ત્વચાના કોઈ પણ રોગ ચુટકી ભરમાં મટી જાય છે, જાણો શું છે માન્યતા

Wed, 21 Jul 2021-11:20 am,

આજે અમે તમને રહસ્યમય કુંડ વિશે જણાવીશું, તેનું નામ દલાહી કુંડ છે. આ કુંડ ઝારખંડના બોકારો જિલ્લામાં છે. એવું કહેવામાં આવે છે કે આ કુંડની સામે તાળીઓ વગાડતા પાણી જાતે જ ઉપર આવવા લાગે છે. પાણી ઉપર આવવાની પ્રક્રિયા જોઇને લાગે છે કે જાણે કોઈ વાસણમાં પાણી ઉકળી રહ્યું છે. કેમ આવું થાય છે, ભૂસ્તરશાસ્ત્રીઓ પણ આજદિન સુધી તેને શોધી શક્યા નથી.

બોકારો સિટીથી 27 કિમી દૂર આવેલા આ અનોખા કુંડમાં લોકો સ્નાન કરવા દૂર દૂરથી આવે છે. ઘણા વૈજ્ઞાનિકોએ આ કુડ પર સંશોધન કર્યું કે અહીં પાણી ક્યાંથી આવે છે. તેમ છતાં આજદિન સુધી આ કૂંડના રહસ્યનો પડદો ઉંચકાયો નથી. લોકો માને છે કે જે કોઈ લોકો માનતા રાખે છે, તેની બધી ઇચ્છા પૂર્ણ થાય છે.

આ કુંડ કોંક્રિટની દિવાલોથી ઘેરાયેલ છે. આ કુંડનું પાણી ઉનાળામાં ઠંડુ હોય છે અને શિયાળામાં ગરમ ​​હોય છે. કેમ આવું થાય છે, તે આજ સુધી લોકો માટે પણ એક મોટું રહસ્ય છે. આ કુંડમાંથી નીકળતું પાણી જમુઈ નામની ગટરમાંથી ગાર્ગા નદીમાં જાય છે. આ જળાશયનું પાણી ખૂબ જ શુદ્ધ છે અને તે ઔષધીય ગુણથી ભરેલું છે.

દર વર્ષે મકરસંક્રાંતિ પર દલાહી કુંડ નજીક મકરસંક્રાતિનો મેળો ભરાય છે. જેમાં આ રહસ્યમય કુંડમાં સ્નાન કરવા દૂર દૂરથી લોકો પહોંચે છે. દલાહી કુંડ નજીક દલાહી ગોસાઈન નામના એક દેવતાનું સ્થળ છે. દર રવિવારે લોકો ત્યાં પૂજા કરવા આવે છે.

લોકો માને છે કે દલાહી કુંડના પાણીમાં સ્નાન કરવાથી ત્વચાના રોગો મટે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે જો આ તળાવના પાણીમાં નહાવાથી ત્વચાના રોગો મટે છે, તો તેનો અર્થ એ કે તેમાં સલ્ફર અને હિલીયમ ગેસ ભેળવવામાં આવ્યો છે. જો કે, આ માન્યતા પર સંશોધન હજુ સુધી કરવામાં આવ્યું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link