નર્મદા મૈયાનું રૌદ્ર સ્વરૂપ : ચાંદોદમાં ગમે ત્યારે પાણી આવશે, ઘાટના 93 પગથિયા પાણીમાં ડૂબ્યા

Wed, 17 Aug 2022-1:07 pm,

નર્મદા કિનારે આવેલી દુકાનો ખાલી કરવા સૂચના અપાઈ છે. નર્મદા નદીની આસપાસમાં રહેતા પરિવારોને હાલ પુરતા ખસેડાયા છે. બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાળુઓને નર્મદા નદી તટ પર ન જવાની સલાહ આપવામાં આવી છે. તો નર્મદા નદીમાં હોળી ચલાવતા નાવિકો પણ પાંચ પેસેન્જર લઈને નાવડી ચલાવી રહ્યાં છે. 

ઉપરવાસમાં વરસાદને લઈને સમગ્ર ગુજરાત ભરના ડેમ ઓવરફ્લો છે, ત્યારે નર્મદા ડેમમાંથી ગઈકાલથી અત્યાર સુધી તબક્કાવાર 7.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે નર્મદાના કાંઠા વિસ્તારોના રહેતા પરિવારોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્યારે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલ મહાલરાવ ઘાટના હવે માત્ર 10 પગથિયાં બાકી રહ્યા છે. ત્યારે આવનારા કલાકોની અંદર ચાંદોદ ગામમાં પાણી પ્રવેશ કરવાની તૈયારીમાં છે, જેને પગલે ગ્રામજનો તેમજ વહીવટી તંત્ર હવે સજજ બન્યું છે.

નર્મદા નદીમાં હોળી ચલાવતા નાવિકો પણ નર્મદા નદીના પૂરના કારણે માત્ર પાંચ પેસેન્જર લઈને હોડી ચલાવી રહ્યા છે. બ્રાહ્મણો તથા શ્રદ્ધાળુઓને નદી કિનારે ન જવાની સલાહ આપી રહ્યા છે. બીજી બાજુ દેવ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના 19 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્યારે તમામ તલાટી કમ મંત્રીઓને પોતાના ગામમાં જ રહેવાની નાયબ કલેક્ટર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે.

હાલ જે પ્રકારની નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોયું છે, જેના કારણે યાત્રાધામ ચાંદોદના બ્રાહ્મણો તેમજ નાગરિકો ખુશખુશાલ છે. પરંતુ બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાને લઈને તે વિસ્તારમાં રહેતા પરિવારોના વહારે આવીને તમામ પરિસ્થિતિ સામે સામનો કરવાની તૈયારી બતાવી રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link