Nostradamus Predictions:`આકાશમાંથી આગ વરસશે`, અવકાશને લઈને નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીએ વધારી ચિંતા

Sat, 02 Sep 2023-3:58 pm,

ત્રીજા વિશ્વયુદ્ધને લઈને નાસ્ત્રેદમસ પહેલા જ ભવિષ્યવાણી કરી ચુક્યા છે. નાસ્ત્રેદમસે લખ્યું હતું કે સાત મહિના મહાન યુદ્ધ, ખોટા કામોથી મરે ઘણા લોકો. નાસ્ત્રેદમસની આ વાતને લોકોએ તે પણ આશંકા લગાવી છે કે રશિયા-યુક્રેનનો જંગ ત્રીજા વિશ્વયુદ્ધમાં બદલી શકે છે. રાહત એટલી છે કે રશિયા-યુક્રેન સિવાય અન્ય દેશ ખુલીને હજુ સુધી મેદાનમાં ઉતર્યા નથી.   

નાસ્ત્રેદમસની મંગળ ગ્રહને લઈને એક ભવિષ્યવાણી છે. નાસ્ત્રેદમસે લખ્યું છે કે મંગળ પર રોશની પડી રહી છે. ભવિષ્યવાણીની વ્યાખ્યા કરનાર લોકોનું માનવું છે કે નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી મનુષ્યને મંગળ પર પહોંચવાને લઈને છે. જાણી લો કે વિજ્ઞાન અત્યાર સુધી પ્રગતિ કરી ચુક્યું છે અને મનુષ્ય મંગળ પર રહેવા વિશે પણ વિચારવા લાગ્યો છે. 

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે પોપ પણ બદલાય જશે. નાસ્ત્રેદમસ અનુસાર પોપ ફ્રાન્સિંગનું સ્થાન કોઈ અન્ય લેશે. નાસ્ત્રેદમસે આ પોપ ફ્રાન્સિસને છેલ્લા સાચા પોપ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યા છે. 

ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ પ્રમાણે શાહી ભવન પર આકાશીય આગ પડશે. તમામ લોકો આ ભવિષ્યવાણીની વ્યાખ્યા નવી સભ્યતાના ઉદયથી જોડીને કરે છે. પરંતુ ઘણા લોકો એવા છે કે જે દુનિયાના ખાત્મા સાથે જોડે છે. પરંતુ  નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીનું સત્ય શું છે તે કોઈ જાણતું નથી. 

નાસ્ત્રેદમસે વધુ એક રસપ્રદ ભવિષ્યવાણી કરી હતી જે પ્રમાણે દુનિયાની બે મહાન શક્તિઓ એક થઈને નવું ગઠબંધન બનાવશે. આ અનોખા ગઠબંધનમાં એક શક્તિશાળી પુરૂષ અને એક નબળી મહિલા લીડર હશે. પરંતુ તેના લાંબા સમય સુધી ટકવાની સંભાવના હશે નહીં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link