PICS: BJP માં જોડાયેલા આ અભિનેતાના કારણે TMC સાંસદ નુસરતનું લગ્નજીવન ખાડે ગયું? અફેરની ચર્ચાઓ

Thu, 10 Jun 2021-9:21 am,

યશ દાસગુપ્તા બંગાળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક લોકપ્રિય અભિનેતા છે. આ વર્ષે થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણી સમયે તે ભાજપમાં જોડાયો હતો અને તેણે ચૂંટણી પણ લડી હતી પરંતુ ચૂંટણી હારી ગયો. 

ચૂંટણી દરમિયાન યશ દાસગુપ્તાનું નામ નુસરત જહાં સાથે જોડાયેલું હતું. આ વાતને બળ ત્યારે મળ્યું જ્યારે યશ દાસગુપ્તા અને નુસરત સાથે રાજસ્થાન જવાની વાતો સામે આવી હતી. આવામાં લોકોએ કહેવાનું શરૂ કર્યું કે નુસરત યશદાસને ડેટ કરી રહી છે. 

ચૂંટણી દરમિયાન યશદાસ ગુપ્તાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તે ભાજપમાં છે અને નુસરત ટીએમસીમાં છે તો આવામાં બંનેના રાજનીતિક મત એક કેમ નથી? ત્યારે યશદાસે પણ જવાબ  આપ્યો હતો. તેણે કહ્યું હતું કે 'અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્નાની જેમ? અરે નહીં અક્ષય અને ટ્વિન્કલના તો લગ્ન થઈ ચૂક્યા છે, પરંતુ મારા અને નુસરતના નહીં'.

યશ દાસગુપ્તા શરૂઆતની કરિયરમાં અનેક પોપ્યુલર હિન્દી ટીવી શોમાં પણ જોવા મળ્યો હતો. તે બસેરા, બંદિની, ન આના ઈસ દેસ મેરી લાડો, અદાલત અને મહિમા શનિદેવ માં જોવા મળ્યો હતો. સેલિબ્રિટી ડાન્સ શો Ritur Mela Jhoom Tara Ra Ra નો પણ તે ભાગ રહી ચૂક્યો છે અને બંગાળી શો Bojhena Se Bojhena માં પણ કામ કર્યું. 

આ ઉપરાંત યશ દાસગુપ્તાએ અનેક બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ગેંગસ્ટર, વન, ટોટલ દાદાગીરી, ફિદા, મોન જાન ન અને 'SOS Kolkata' માં જોવા મળ્યો હતો.   

અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ટીએમસી સાંસદ નુસરત જહાની ગર્ભાવસ્થા અને પતિ સાથેના સંબંધોને લઈને ફેસબુક પોસ્ટ લખી. ત્યારબાદથી તેના લગ્ન જીવન અને ગર્ભાવસ્થા અંગે  ચર્ચાઓ થવાની શરૂ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ નુસરત જહાં 6 મહિનાની પ્રેગનેન્ટ હોવાનું કહેવાય છે. જો કે આ અંગે તેના તરફથી કે તેની મીડિયા ટીમ તરફથી કોઈ પણ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ મુજબ તેના સાસરિયાઓને પણ આ અંગે કોઈ જાણકારી નથી. 

રિપોર્ટ મુજબ નુસરતના પતિ નિખિલ જૈને આ ગર્ભાવસ્થા પર મોટું નિવેદન આપ્યું છે. તેનું કહેવું છે કે તેમના લગ્ન તૂટવાના આરે છે. નુસરત ગત વર્ષ ડિસેમ્બર 2020માં તેનું ઘર છોડીને તેના મમ્મી પપ્પા સાથે બાલીગંજવાળા ઘરે રહે છે. ત્યારથી બંને એકવાર પણ મળ્યા નથી. આવામાં આ બેબી તેમનું કેવી રીતે હોઈ શકે?

નુસરત જહાંના લગ્ન 19 જૂન 2019ના રોજ બિઝનેસમેન નિખિલ જૈન સાથે હિન્દુ રિતીરિવાજથી તૂર્કીના બોડરમ શહેરમાં થયા હતા. આ લગ્ન ભારતના સૌથી મોંઘા લગ્નમાંથી એક ગણાય છે. સાત ફેરા લીધા બાદ નુસરત અને નિખિલે ખ્રિસ્તિ રીતિ રિવાજથી પણ લગ્ન કર્યા હતા.   

તૂર્કીમાં લગ્ન બાદ નુસરત અને નિખિલે કોલકાતા પહોંચી 4 જુલાઈ 2019ના રોજ કોલકાતાની આઈટીસી રોયલ હોટલમાં રિસેપ્શન યોજ્યું હતું. જેમાં મોટા મોટા બિઝનેસમેન, સ્ટાર્સથી લઈને રાજનેતા સામેલ થયા હતા. રિસેપ્શનમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થયા હતા. 

જો કે હવે બે વર્ષ બાદ નુસરતે આ લગ્ન અમાન્ય ગણાવી દીધા છે. અભિનેત્રીએ કહ્યું કે તેમના લગ્ન તૂર્કીના કાયદા પ્રમાણે થયા હતા અને ભારતીય કાયદા મુજબ તે કાયદેસર નથી. આ એક આંતર જાતીય લગ્ન હતા તો તેના માટે ભારતમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે જે હજુ સુધી થઈ નથી. આ કારણે તેમના સંબંધને લિવ ઈન કહી શકાય. એટલું જ નહીં નુસરતે નિખિલ જૈન પણ એવો આરોપ પણ લગાવ્યો છે કે તેણએ ખોટી રીતે તેના બેંક ખાતા સાથે છેડછાડ કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો નુસરત હાલ ગર્ભવતી છે અને તેણે આ જાણકારી પતિ નિખિલને આપી નહતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link