વેક્સીન લઈ ચુકેલા અને ન લીધેલા લોકોમાં આ છે ઓમિક્રોનના લક્ષણ, થઈ જાવ એલર્ટ

Fri, 11 Feb 2022-2:17 pm,

મિરરના રિપોર્ટ અનુસાર દક્ષિણ આફ્રિકા સ્વાસ્થ્ય સંઘના ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે પહેલાના સ્ટ્રેનની તુલનામાં ઓમિક્રોનના લક્ષણ અલગ છે. ઓમિક્રોનના મુખ્ય લક્ષણ વિશે તેમણે કહ્યું કે, દર્દીઓમાં વધુ થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો રહેવાની સમસ્યા જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, કોઈ દર્દીમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થવી, કે સ્વાદ ન મળવો, નાક જામ થવુ કે ભારે તાવનો ઉલ્લેખ નથી. જે ડેલ્ટા વેરિએન્ટના સૌથી મોટા લક્ષણ છે. 

રિપોર્ટ અનુસાર કોરોના વેક્સીન લઈ ચુકેલા લોકોમાં ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણ અલગ છે, વેક્સીનેટેડ લોકોમાં માથાનો દુખાવો, નાકમાંથી પાણી નિકળવુ, સાંધાનો  દુખાવો, ગળામાં ખારાશ જેવા લક્ષણો છે. 

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર નિષ્ણાંતોનું કહેવું છે કે વેક્સીન લગાવ્યા બાદ પ્રતિરક્ષા-બચાવ તંત્ર વિકસિત થાય છે, જે વાયરસથી બચાવવામાં મદદ કરે છે. તો વેક્સીન ન લીધેલા લોકોમાં સંક્રમિત અને ગંભીર બીમારી થવાનું વધુ જોખમ રહે છે. 

જે લોકોએ અત્યાર સુધી કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી, તેમાં ઓમિક્રોન વેરિએન્ટના લક્ષમ અલગ છે અને તે ગંભીર હોઈ શકે છે. અનવેક્સીનેટેડ લોકોને કોવિડના સામાન્ય લક્ષણો સિવાય શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. 

 

તે જાણવા મળ્યું છે કે કોવિડ-19નો ઓમિક્રોન વેરિએન્ટ, ડેલ્ટાની તુલનામાં હળવો છે. ડોક્ટરોને જાણવા મળ્યું કે મોટા ભાગના દર્દીમાં શરદી જેવા લક્ષણો વિકસિત થાય છે અને તે સાજા થઈ જાય છે. ગળામાં ખારાશ સિવાય, ઓમિક્રોનના અન્ય લક્ષણોમાં થાક, તાવ, શરીરમાં દુખાવો, રાતના પરસેવો, છીંક, નાકમાંથી પાણી નિકળવું, ઝાડા અને ભુખ ન લાગવી સામેલ છે. ડેલ્ટા વેરિએન્ટથી વિપરીત ઓમિક્રોનથી ગંધ અને સ્વાદ ન આવવાની સંભાવના ઓછી હોય છે. 

કોવિડ-19 સંક્રમણની જાણકારી મેળવવા માટે સૌથી સારી રીત આરટી-પીસીઆર ટેસ્ટ છે. તેથી જો તમારી અંદર કોઈ લક્ષણ હોય તો તત્કાલ ટેસ્ટ કરાવો. આ સિવાય જ્યાં સુધી તમારા કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી બહાર જવાનું ટાળો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link