દેશનું એકમાત્ર એવું ગામ જ્યાં કોઈ નથી બનાવતું ઘરે જમવાનું, આ છે બે ટાઈમ પેટ ભરવાનો જુગાડ

Tue, 24 Sep 2024-6:58 pm,

2011 માં કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ, ચાંદણકી એક નાનું ગામ છે જ્યાં 250 લોકો રહે છે. જેમાં 117 પુરૂષો અને 133 મહિલાઓનો સમાવેશ થાય છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં જ અહીંની સંખ્યા 1000 સુધી પહોંચી ગઈ હતી, જેમાંથી હવે અહીં માત્ર 500 લોકો જ રહે છે. જેમાંથી મોટાભાગના વૃદ્ધો છે.

અહીં રહેતા લોકો ઘરમાં ભોજન રાંધતા નથી અને આ એક અઠવાડિયા કે મહિનાની વાત નથી. અહીં કોઈ પણ દિવસે કોઈ ઘરમાં ચૂલો સળગતો નથી. અહીં અમે કોમ્યુનિટી હોલમાં સાથે મળીને ભોજન કરીએ છીએ. 

આ કોમ્યુનિટી હોલમાં બે સમયનું પેટ ભરીને ખાવા માટે દરેક વ્યક્તિએ દર મહિને 2,000 રૂપિયા જમા કરાવવા પડે છે. પરંપરાગત ગુજરાતી વાનગીઓ રસોડામાં તૈયાર કરવામાં આવે છે, જે પોષણ અને સ્વાદ બંને દ્રષ્ટિએ ઉત્તમ છે. 

ગામના સરપંચ પૂનમ ભાઈ પટેલે આ પહેલ કરી હતી. ન્યૂયોર્કમાં 20 વર્ષ ગાળ્યા બાદ, પટેલ પરત ફર્યા અને જોયું કે ચાંદણકીમાં વૃદ્ધો રોજિંદા કાર્યો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કારણ કે ઘણા યુવાનો શહેરો તરફ વળ્યા હતા. 

વિભક્ત પરિવારમાં રહેવાનો ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે ઘરના વડીલો એકલા જીવન જીવવા મજબૂર છે. આ સમસ્યાની ગંભીરતાને સમજીને ચાંદણકી ગામમાં ઘરે ઘરે રસોઈ બંધ કરવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. લોકો અહીં આ અનોખી વ્યવસ્થા જોવા માટે આવે છે, જેના કારણે પર્યટનમાં પણ વધારો થયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link