Bottle Gourd side Effects: આ 5 સમસ્યા હોય તેમણે ન ખાવી દૂધી, ખાવાથી બગડી શકે છે તબિયત

Sat, 15 Jun 2024-1:01 pm,

જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે દૂધી ખાવાથી બચવું જોઈએ. ખાસ તો પથરીની સમસ્યામાં દુધી ખાવી નહીં. તેમાં ઓક્સાલેટ વધારે હોય છે જે પથરીની સમસ્યા વધારી શકે છે. 

જે લોકોનું બ્લડ સુગર લો રહેતું હોય તેમણે પણ દુધી ખાવી નહીં. દુધી ખાવાથી બ્લડ સુગર ઝડપથી ઘટી જાય છે. 

જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય એટલે કે પાચનતંત્ર નબળું હોય તેને પણ દુધી ખાવાથી બચવું જોઈએ. દુધી ફાઇબરથી ભરપૂર હોય છે તેનાથી પાચન સમસ્યા વધી શકે છે. 

જે લોકોને લો બીપીની સમસ્યા હોય તેમણે પણ દુધી ખાવી નહીં. દુધીમાં પોટેશિયમ વધારે હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવાનું કામ કરે છે.. વધારે માત્રામાં દૂધીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે. 

કેટલાક લોકોને દુધી ખાવાથી એલર્જી પણ થતી હોય છે. એલર્જી હોય તેઓ દુધીનું સેવન કરે તો ત્વચા પર ખંજવાળ, રેસીશ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવી તકલીફ થઈ શકે છે..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link