PHOTOS : આઝાદીના 70 વર્ષ બાદ દેશને મળ્યું `રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક`

Mon, 25 Feb 2019-6:30 pm,

અહીં ગ્રેનાઈટના પત્થરમાંથી 'ત્યાગ ચક્ર' અને 'રક્ષક ચક્ર' નામના વર્તૂળમાં 16 દિવાલો બનાવાઈ છે. આ દિવાલોમાં 25,942 શહીદોનાં નામ કોતરવામાં આવ્યા છે. દરેક ઈંટ પર શહીદ જવાનનું નામ, તેનું ઓળખપત્ર, તેની રેજિમેન્ટ અને રેન્ક લખવામાં આવ્યો છે. તેની એક મોબાઈલ એપ્લીકેશન પણ બનાવાઈ છે. જેમાં શહીદ જવાનનું નામ લખવાની સાથે જ તેના નામની ઈંટ ક્યાં આવેલી છે તે બતાવી દે છે. આ સાથે જ અહીં નવા નામ ઉમેરવા માટેની જગ્યા પણ રાખવામાં આવી છે. 

અહીં દેશનું સર્વશ્રેષ્ઠ સૈનિક સન્માન પરમવીર ચક્ર મેળવનારા 21 જવાનોના બાવલા 'પરમ યોદ્ધા સ્થળ'માં મુકવામાં આવ્યા છે. જેમાં વર્તમાનમાં જીવિત એવા ત્રણ સુબેદાર મેજર બાના સિંઘ (નિવૃત્ત), સુબેદાર મેજર યુગેન્દ્ર સિંઘ યાદવ અને સુબેદાર સંજય કુમારનો પણ સમાવેશ થાય છે. 

ઈન્ડિયા ગેટ પરિસરમાં 40 એકર વિસ્તારમાં બનેલા આ યુદ્ધ સ્મારકમાં ભારત-ચીન યુદ્ધ 1960, ભારત-પાક. યુદ્ધ 1947, 1965 અને 1971, શ્રીલંકામાં શાંતિની સ્થાપના માટે ગયેલી ભારતીય સેના અને 1999માં કારગિલ યુદ્ધ, આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ મિશનમાં શહીદ થયેલા ભારતીય જવાનોના નામ કોતરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં બનાવાયેલી 16 દિવાલો પર વિવિધ યુદ્ધમાં શહીદ થયેલા 25,942 જવાનોનાં નામ કોતરવામાં આવ્યા છે. 

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં એક વિશેષ સ્તંભ બનાવીને તેના નીચે હંમેશાં પ્રજ્વલિત રહેનારી જ્યોતિ બનાવાઈ છે. જોકે, તેની સાથે જ ઈન્ડિયા ગેટ ખાતે જે 'અમર જ્યોતિ' બનાવવામાં આવેલી છે તે પણ હંમેશાં પ્રજ્વલિત જ રહેશે. અમર જવાન જ્યોતિનું નિર્માણ 1971ના ભારત-પાક. યુદ્ધના શહીદોની યાદમાં 1972માં બનાવાઈ હતી. 

ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ લેફન્ટનન્ટ જનરલ પી.એસ. રાજેશ્વરે જણાવ્યું કે, આ નવ રાષ્ટ્રીય સ્મારકમાં દરરોજ સાંજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે અને દેશના નાગરિકો તેમાં ભાગ લઈ શકશે. અહીં એકસાથે 250 લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના દરવાજા સવારે 9 કલાકે ખુલશે અને સાંજે 7.30 કલાકે બંધ કરવામાં આવશે. અહીં દર રવિવારે સવારે 9.50 કલાકે ગાર્ડ બદલવાની એક પ્રક્રિયા પણ યોજાશે.

અહીં ભારતીય થલ સેના, વાયુ સેના અને નૌકાદળે લડેલાં પ્રખ્યાત યુદ્ધનું વર્ણન કરતાં તાંબાની 6 દિવાલો બનાવાઈ છે, સ્મારકની મધ્યમાં એક શિલા-સ્તંભ અને તેના નીચે હંમેશાં પ્રજ્વલિત રહેનારી જ્યોતિનું નિર્માણ કરાયું છે. 

આ સ્મારકનું નિર્માણ એવી રીતે કરાયું છે કે, ઈન્ડિયા ગેટ અને તેની આજુબાજુ વિસ્તારની ભવ્યતા જળવાઈ રહે. રસપ્રદ બાબત એ છે કે, તેના નિર્માણ માટે 22 ઝાડને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે 715 નવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. 

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના ચાર વર્તુળાકાર પરિસર બનાવાયા છે. દરેક વર્તુળને એક વિશેષ નામ અપાયું છે. 1. અમર ચક્ર (અમરત્વનું વર્તુળ), 2. વિરતા ચક્ર (બહાદ્દુરીનું વર્તુળ), 3. ત્યાગ ચક્ર (સમર્પણનું વર્તુળ) અને 4. રક્ષક ચક્ર (સુરક્ષાનું વર્તુળ). આઝાદી પછી રાષ્ટ્રની સુરક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા ભારતીય જવાનોને આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link