PHOTOS: પુલવામામાં આજે શહીદ થનાર મેજરના હાર્ટ પેશન્ટ માતાને ન અપાયા દીકરાના મોતના ખબર

Mon, 18 Feb 2019-3:07 pm,

દહેરાદૂનના ચૂક્કુવાલામાં રહેતા મેડર વી.એસ. ઢૌંડિયાલ અહીં પોતાની માતા, દાદી અને પત્ની સાથે રહેતા હતા. જ્યાં તેમની શહાદતના સમાચાર તેમના માતાને આપવામાં આવ્યા ન હતા.

મેજર ઢૌંડિયાલના માતા હાર્ટ પેશન્ટ છે. આવામાં તેમને કોઈ પ્રકારના દુખદ સમાચાર ન આપવામાં આવે, તેથી તેમને દીકરાના મોતના સમાચાર આપવામાં આવ્યા નથી. 

મેજર ઢૌડિંયાલ સમગ્ર પરિવારમાં એકમાત્ર અને સૌથી નાના દીકરા હતા. તેમની ત્રણ બહેનો છે, જે તેમનાથી મોટી છે. આવામાં જ્યારે તેમની પત્ની અને બહેનોને શહીદીના સમાચાર આપવામાં આવ્યા હતા, તો બધાના રડી રડીને ખરાબ હાલ થયા હતા.

મેજર ઢૌંડિયાલની શહીદીના સમાચાર જોતજોતમાં આખા ટાઉનમાં પ્રસરાઈ ગયા હતા. તેમની ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આવામાં તેમની માતા વારંવાર પૂછી રહ્યા હતા કે, આખરે શું થયું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ મેજર ઢૌંડિયાલના લગ્ન થયા હતા. આવામાં તેમની શહીદીના સમાચાર મળતા જ તેમની પત્ની બેહાલ થઈ ગઈ હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link