જુઓ જીર્ણોદ્વાર પછીનું પાવાગઢ મંદિર, નિજ મંદિરના માથા પરથી હટી ગઈ દરગાહ, હવે ત્યાં ધજા ફરકશે

Fri, 17 Jun 2022-6:17 pm,

જીર્ણોદ્વાર બાદ પાવાગઢ મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 18 મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ જડિત શિખર અને ધ્વજા દંડ પર ધ્વજારોહણ કરશે. પીએમ માટે ખાસ સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓ કરવામાં આવી છે. 

મંદિરમાં આ ધ્વજારોહણ ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ 450 વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે. એટલે કે, શિખર જર્જરિત થઈ જવાથી સદીઓથી પાવાગઢ મંદિર પર ધજા ચઢી ન હતી. ત્યારે વર્ષો બાદ ધજા ચઢાવનાર પીએમ મોદી પહેલા શખ્સ બનશે.

માતાજીના ગર્ભગૃહ સ્થાપનને યથાવત રાખીને સંપૂર્ણ મંદિર નવુ બનાવવામાં આવ્યુ છે. જૂના મંદિરમાં માતાજીના શિખરની જગ્યાએ એક દરગાહ હતી. તેને સમજાવટ બાદ અલગ કરીને મંદિરના એક સ્થળે ખસેડાઈ છે. અને મૂળ મંદિર પર ધ્વજદંડ ફરીથી સ્થાપિત કરાયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link