શું તમે ક્યારેય પીધી છે દાડમની છાલની ચા? કોલેસ્ટ્રોલથી લઈને શરદી-ઉધરસ સુધી, છૂમંતર થઈ જાય છે આ 5 સમસ્યાઓ!

Thu, 17 Oct 2024-6:10 pm,

દાડમની છાલની ચા જૂની ઉધરસ અને ગળાના દુખાવા માટે ઉત્તમ ઘરગથ્થુ ઉપચાર માનવામાં આવે છે. જો તમને લાંબી ઉધરસ અને ગળામાં લાળની સમસ્યા હોય તો આ ચાનું સેવન કરવાથી રાહત મળે છે. તેનો ઉપયોગ ગાર્ગલિંગ માટે પણ થઈ શકે છે, જે ગળામાં સોજો અને દુખાવો ઘટાડે છે.

દાડમની છાલની ચામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ હાઈ ટ્રાઈગ્લિસરાઈડ્સ અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી સારા કોલેસ્ટ્રોલ (HDL)ના સ્તરને સુધારી શકાય છે અને હૃદય રોગના જોખમને ઘટાડી શકાય છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અભ્યાસ મુજબ દાડમની છાલની ચા સ્તન, પ્રોસ્ટેટ અને આંતરડાના કેન્સરને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. જો કે, આ ક્ષેત્રમાં વધુ સંશોધનની જરૂર છે, પરંતુ તે ચોક્કસપણે એક આરોગ્યપ્રદ વિકલ્પ છે.

દાડમની છાલમાં એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખીલ, પિમ્પલ્સ અને ફોલ્લીઓ જેવી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ત્વચાને ડિટોક્સિફાય કરવામાં અને મૃત ત્વચાને દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

દાડમની છાલની ચાનું નિયમિત સેવન ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. તે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

આ ચા બનાવવા માટે 10 ગ્રામ દાડમની છાલને એક કપ પાણીમાં ઉકાળો. તેને 5 મિનિટ સુધી ચઢવા દો અને પછી તેને 5 મિનિટ ઢાંકીને રાખો. તમે આ ચા દિવસમાં બેથી ત્રણ વખત પી શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link