Photos: નાના ભાઈ Rajiv Kapoor નો પાર્થિવ દેહ લઈ ઘરે પહોંચ્યા Randhir Kapoor

Tue, 09 Feb 2021-6:23 pm,

રાજીવ કપૂરની (Rajiv Kapoor) તબિયત ખરાબ હોવાની જાણકારી મળતા જ તેમના ભાઈ રણધીર (Randhir Kapoor) હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમના મોતના સમયે તેઓ તેમની સાથે હતા. હોસ્પિટલથી રાજીવના પાર્થિવ દેહ લઇને રણધીર પરત ફર્યા. તે આ મુશ્કેલીના સમયમાં પોતાને સંભાળતા જોવા મળ્યા. નાના ભાઈને ગુમાવવાનું દુ:ખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.

રણધીર કપૂરનો (Randhir Kapoor) ભત્રીજો અરમાન જૈન પણ હોસ્પિટલમાં હતો. તેણે તેના મામાને સંભાળ્યા અને તેમના પાર્થિવ દેહને લઇને ઘરે પહોંચ્યા. તે ખૂબ જ જવાબદાર લાગ્યો.

રાજીવ કપૂરના (Rajiv Kapoor) અંતિમ દર્શન માટે અરમાન જૈન (Armaan Jain) અને આદર જૈન બંને ભાઈ પહોંચ્યા હતા.

કરીના કપૂર (Kareena Kapoor) પણ પોતાના ઘરેથી નીકળી કાકા રાજીવના (Rajiv Kapoor) ઘર તરફ જઈ રહી હતી. તે પણ ઘણી પરેશાન હતી. તેની આંખો પણ નમ હતી. જલ્દી કરીના માતા બનવાની છે.

કરિશ્મા કપૂર (Karisma Kapoor) પણ તેની માતા બબીતા કપૂર સાથે રાજીવ કપૂરના (Rajiv Kapoor) ઘરે પહોંચી હતી. બંને ઘણા પરેશના જોવા મળ્યા હતા.

રણબીર કપૂર (Ranbir Kapoor) તેની માતા નીતૂ કપૂર સાથે રાજીવ કપૂરના (Rajiv Kapoor) ઘરે પહોંચ્યો. જ્યા તેમના પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે. બંને હજુ સુધી ઋષિ કપૂરને (Rishi Kapoor) ગુમાવવાના દુ:ખથી ઉભરી શક્યા નથી.

પિતા ઋષિ કપૂરના (Rishi Kapoor) નિધન બાદ કાકા રાજીવ કપૂરના (Rajiv Kapoor) નિધનના સમાચારથી બોલીવુડ સ્ટાર રણબીર કપૂરને (Ranbir Kapoor) ઘણું દુ:ખ પહોંચ્યું છે. તે ઘણો પરેશાન પણ જોવા મળ્યો.

એક્ટ્રેસ તારા સુતરિયા (Tara Sutaria) પણ કપૂર પરિવારના દુ:ખમાં સામેલ થવા પહોંચી. તમને જણાવી દઇએ કે, તારા રણબીર કપૂરના (Ranbir Kapoor) પિતરાઈ ભાઈ અરમાન જૈનની સારી મિત્ર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link