નવરાત્રિ બાદ ફેંકી દેવાતા ગરબામાંથી વિદ્યાર્થીઓએ બનાવી એવી વસ્તુ કે સ્વપ્નેય વિચાર ન આવે...

Mon, 22 Oct 2018-10:26 am,

વેસ્ટમાંથી બેસ્ટ કરવું એ એક કળા છે. જો આ કળાનો યોગ્ય ઉપયોગ કરવામાં લોકોને એક સાથે અનેક ફાયદાઓ થતા હોય છે. આ જ વાતને સાર્થક કરી છે રાજકોટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ. હાલમાં જ નવરાત્રિનો તહેવાર પૂર્ણ થયો છે. નવરાત્રિના આ તહેવારમાં માતાજીની આરાધના કરવા માટે લોકોએ પોતાના ઘરે ગરબાની સ્થાપના કરી હતી. આ તહેવાર પૂર્ણ થતા જ આ ગરબાનું વિસર્જન કરાયુ હતું. નવરાત્રિ બાદ નકામા બનેલા આ ગરબામાંથી વિદ્યાર્થીઓએ ચકલીઓને આશ્રય આપ્યો છે. 

દશેરાનો તહેવાર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ દ્વારા શહેરભરમાંથી આશરે 30 હજાર જેટલા ગરબાઓ એકત્ર કરાયા હતા. આ ગરબાઓને કોલેજ પર લાવી તેમાં મશીનોની મદદથી કાણું પાડવામાં આવ્યું હતું.  ત્યાર બાદ આ ગરબા પર વિવિધ પ્રોસેસ કરીને તેને ચકલીના માળાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટના ભાગરૂપે આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીના પ્રેક્ટિકલ જ્ઞાનમાં પણ મેળવ્યું હતું. 

પુસ્તકીયા જ્ઞાન સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેવી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને પ્રયાવરણને એક નવી ભેટ મળે એવા હેતુથી કોલેજના સંચાલકો દ્વારા આ ખાસ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. વિસર્જનમાંથી સર્જન ઈવેન્ટ અંતર્ગત 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગરબામાંથી ચકલીઓના માળાઓ બનાવવામાં આવ્યા હતા. 

24 કલાકમાં 10 હજારથી વધુ માળા બનાવાયા હતા. આ પ્રસંગે લિમ્કા બૂકના પ્રતિનિધિઓએ પણ મુલાકાત લીધી હતી. સંચાલકોને આશા છે કે આ પ્રોજેક્ટને લિમ્કાબુકમાં સ્થાન મળે.  વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા આ માળાઓનું શહેરીજનોમાં વિના મૂલ્યે વિતરણ કરાશે તેવું લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજના ડો.ભરણ રામાણીએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ માળા ચકલીઓ માટે બહુ કામના બની રહેશે. આવી જ રીતે જો દરેક વ્યક્તિ પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ નિભાવે તો પૃથ્વીને ખરા અર્થમાં સવર્ગનું સ્વરૂપ આપી શકાય

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link