90 વર્ષ બાદ રક્ષાબંધન પર બનશે દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, મળશે પૈસા અને પ્રતિષ્ઠા

Wed, 07 Aug 2024-7:04 pm,

દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 19 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. આ વર્ષે રક્ષાબંધન શ્રાવણના સોમવાર જેવા શુભ યોગમાં ઉજવવામાં આવશે. આ સાથે સાંજના સમયે રાજ પંચક લાગી રહ્યું છે, જેને ખુબ શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં આ દિવસોમાં શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે. આવો જાણીએ રક્ષાબંધનના દિવસે કયાં જાતકોનું ભાગ્ય ચમકશે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધનના દિવસે 90 વર્ષ બાદ એક સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગની સાથે શ્રવણ નક્ષત્ર બની રહ્યું છે. આ દિવસે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે. આ દિવસે ચંદ્રમા કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રમાના સ્વામી સ્વયં આદિ દેવ ભોળેનાથ છે. તો કુંભ શનિની રાશિમાં છે. તેવામાં આ દિવસે કેટલાક જાતકો પર ભોળેનાથની સાથે શનિદેવની કૃપા રહેશે. એટલું જ નહીં આ દિવસે સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિ થઈ રહી છે, જેનાથી શુક્રાદિત્ય, બુધાદિત્ય, લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગની સાથે શનિ કુંભ રાશિમાં રહી શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે.

મેષ રાશિના જાતકો માટે રક્ષાબંધનનો દિવસ ખાસ રહેવાનો છે, કારણ કે આ રાશિની પાંચમાં ભાવમાં બુધ, શુક્ર અને સૂર્ય બિરાજમાન છે. આ સાથે શનિ અને ચંદ્ર અગિયારમાં ભાવમાં હશે. તેવામાં આ રાશિના જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ઘણા યોગ બની રહ્યાં છે. કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ સફળતા મળવાની છે. શનિદેવની કૃપાથી જીવનમાં ખુશીઓ આવવાની છે. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ વધશે. આ સાથે કમાણીના નવા માર્ગ ખુલશે. વેપારમાં પણ નફો થવાનો છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં ખુબ લાભ મળવાનો છે. સમાજમાં માન-સન્માન વધશે. તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે.  

આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. આ રાશિમાં બુધ, સૂર્ય અને શુક્ર સાતમાં ભાવમાં બિરાજમાન રહેશે. આ સાથે શશ રાજયોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. રક્ષાબંધનના દિવસે બનનાર આ રાજયોગ કુંભ રાશિના જાતકોનું તખ્તાપલટ કરી શકે છે. જે કામ તમે લાંબા સમયથી કરી રહ્યાં છો તેમાં સફળતા મળશે. કરિયરમાં તમને સફળતા સાથે પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં લાંબા સમયથી ખોટ થઈ રહી હોય તો તેમાંથી મુક્તિ મળશે. તમે નવી ડીલ ફાઈનલ કરી શકો છો. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. લાંબા સમયથી ચાલતી બીમારીમાં પણ રાહત મળશે. 

આ રાશિમા રાજયોગનું નિર્માણ નવમાં ભાવમાં થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. વિદેશી સ્ત્રોતથી તમને ધનલાભ થઈ શકે છે. લાભ કમાવાની ઓફર મળી શકે છે. નોકરી કરનાર લોકો માટે આ પર્વ ખુબ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. જો વિદેશમાં નોકરી કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમને સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે સ્વાસ્થ્ય સારૂ રહેશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link