રાશિફળ 8 માર્ચ: આજે કોનું ચમકશે નસીબ? કોના માટે આજનો દિવસ શુભ અને કોણે રહેવું પડશે સાવધાન...

Tue, 08 Mar 2022-9:21 am,

ગણેશજી કહે છે, આજનો દિવસ વૃશ્ચિક રાશિના લોકો માટે ઉતાર-ચઢાવથી ભરપૂર રહેશે. આજે ઉતાવળમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ના લેશો, નુકસાન થઈ શકે છે. નાના કામ પણ આજે મુશ્કેલી આપશે. ધંધામાં લાભ સામાન્ય રહેશે. આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, બેદરકારીથી બચો. 

ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે પ્રોત્સાહક છે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. તમે આજે સાહસ અને જોખમી કાર્યમાં પણ હાથ મિલાવી શકો છો. વેચાણ માર્કેટિંગ કરનારા લોકો આ અઠવાડિયામાં તેમના લક્ષ્યાંક વિશે વિચારશીલ રહેશે. શક્ય હોય તો વધારે લોકોમાં ફરવાનું ટાળો. નોકરીમાં તમારા અનુરૂપ કામ ચાલશે. 

ગણેશજી કહે છે, દિવસની શરૂઆત રોમાંસથી થશે, પરંતુ વધારે પડતું ખાવાનું ટાળો. કાર્યક્ષેત્રમાં ભૂતકાળના અધૂરા કામ અને લક્ષ્ય પર દબાણ રહેશે. કોઈપણ મહત્વપૂર્ણ વસ્તુની ખરીદી માટે તૈયાર થઈ શકો છો, પરંતુ બજેટ અને સંજોગોનો વિચાર કરવાથી હમણાં મૂડ બદલાઈ શકે છે. 

ગણેશજી કહે છે, સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ માનસિક ગૂંચવળવાળો દિવસ બની શકે છે. તમારે વિવિધ કાર્યો અને યોજનાઓમાં સામેલ થવું પડી શકે છે. આર્થિક વ્યવહાર અને ધંધા માટે દિવસ સાનુકૂળ રહેશે. આજે લેખનમાં અને સર્જનાત્મક કાર્યોમાં પણ રુચિ રહેશે. વાણી ઉપર સંયમ રાખવો તમારા હિતમાં રહેશે. 

ગણેશજી કહે છે, આજે મિથુન રાશિના લોકોનું મનોબળ વધુ રહેશે. વિદ્યાર્થીઓએ ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, મન ટેક્નિકલ ચીજો તરફ વધુ આગળ વધશે. આર્થિક મામલામાં ઉદ્યોગપતિઓ માટે આજનો દિવસ સારો છે. ઘણા દિવસોથી અટકેલા કામ થોડા પ્રયત્નોથી પૂર્ણ થશે. તમને અનુભવી અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે.  

ગણેશજી કહે છે, આજનો દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જીવનનો આનંદ માણી શકશો, જીવનસાથીનો સહયોગ મળશે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે તો સુખ પ્રાપ્ત થશે. સાથીઓ અને મિત્રોનો સહયોગ મળશે. ધર્મ અને શુભ કાર્ય પણ તમારા હાથમાં આવી શકે છે. વિદ્યાર્થીઓને વાંચન અને લેખનમાં રસ હશે. 

ગણેશજી કહે છે, આર્થિક મામલામાં આજનો દિવસ તમારી તરફેણમાં રહેશે. જો તમે રોકાણ કરવા માગતા હો તો આજનો દિવસ સારો રહેશે. પારિવારિક જીવનમાં સુસંગતતા રહેશે, પરંતુ તમારે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. ઘર નિર્માણના કામ સાથે સંકળાયેલા લોકો માટે દિવસ ફાયદાકારક છે. 

ગણેશજી કહે છે, તમને આજે ક્ષેત્રમાં ટેક્નિકલ જ્ઞાન અને અનુભવનો લાભ મળશે. તમને ધર્મમાં રસ રહેશે. કોઈ જૂના મિત્ર અને સંબંધીનો સંપર્ક કરી શકો છે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે જાગ્રત રહેવું પડશે. સંક્રમણનો સમય ચાલુ છે, સંયમ રાખો અને પરિવાર સાથે રહો. સંતુલિત ભોજન લો. 

ગણેશજી કહે છે, આજે તમારું રોકાયેલુ કામ ચાલશે, તમારા ભાઈ-બહેનો સાથે સહયોગ અને સંકલન રહેશે. કોઈ રસિક કામ હાથમાં આવતા તમે આનંદિત થશો. આર્થિક મામલામાં તમે ચિંતિત છો. તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ જોખમી કાર્યમાં ભાગ ના લેવો, રોકાણની બાબતમાં સાવધાની રાખવી. 

ગણેશજી કહે છે, આજે તમારા જ્ઞાનનો વિકાસ થશે. કાર્યસ્થળમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ માર્કેટિંગ અને વેચાણથી સંબંધિત લોકો પર લક્ષ્ય દબાણ રહેશે. ધંધામાં લાભ વધશે. બાળકોના શિક્ષણ અંગે ચિંતા રહેશે. ઘર વપરાશની વસ્તુઓ માટે ખરીદી કરી શકો છો. ભક્તિ અને અધ્યાત્મમાં રસ લેશો. 

ગણેશજી કહે છે, આ રાશિના લોકો માટે ક્ષેત્રમાં જવાબદારીઓનું દબાણ રહેશે, પરંતુ અધિકારીઓનો સહયોગ રહેશે. જો તમે કોઈ નવું કાર્ય અથવા યોજના શરૂ કરવાનું વિચારી રહ્યાં છો, તો આગળ વધો. આર્થિક મામલામાં દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જીવનમાં તમને પિતા અને અનુભવી લોકોનો સહયોગ મળશે. 

ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયક રહેશે, તમારી મહેનત સફળતાનો આધાર બનશે, નસીબથી વધુ અપેક્ષા ના રાખો. તમે કેટલીક જૂની બાબતો વિશે વિચારશો. આ રાશિના કેટલાક લોકો, આર્થિક મુદ્દાઓ અને સ્વાસ્થ્ય માટે ચિંતિત હોઈ શકે છે. કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link