મગજ તેજ અને યાદશક્તિ વઘારવા માટે રામબાણ, આ શાકભાજી ખાશો તો બદલાઈ જશે તમારું જીવન!
પાલકમાં વિટામિન K, ફોલેટ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમામ પોષક તત્વો મગજના કોષોને સ્વસ્થ રાખવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
બ્રોકોલીમાં વિટામીન C અને K પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ વિટામિન મગજના કોષોને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે.
કેપ્સીકમમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ વિટામિન મગજના કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સુધારે છે.
ગાજરમાં બીટા કેરોટીન હોય છે જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. વિટામિન A મગજના કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને આંખોને પણ સુધારે છે.
બીટરૂટમાં નાઈટ્રેટ્સ હોય છે જે મગજમાં લોહીનો પ્રવાહ વધારે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે.