IND vs NED: નેધરલેન્ડ સામેની ટીમમાં થશે આ મોટા ફેરફારો, બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને મળશે તક?

Sat, 11 Nov 2023-4:27 pm,

કેપ્ટન રોહિત શર્મા નેધરલેન્ડ સામે અંતિમ લીગ મેચમાં આર અશ્વિનને તક આપી શકે છે. અશ્વિને આ વિશ્વકપમાં અત્યાર સુધી એક મેચ રમી છે.

ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ આ મેચમાં રમવાની તક મળી શકે છે. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં પ્રસિદ્ધ કૃષ્મા રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ થયો છે. તેવામાં તેને એક મેચ જરૂર રમવા મળી શકે છે. 

ઈશાન કિશનને પણ અંતિમ મેચમાં તક મળી શકે છે. ઈશાન કિશને ટૂર્નામેન્ટની શરૂઆતી બે મેચમાં રોહિત સાથે ઓપનિંગ કરી હતી. ત્યારબાદ ગિલ ફિટ થતાં કિશન બહાર થયો હતો.

ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં તક આપવામાં આવી શકે છે. શાર્દુલ ટીમ માટે શરૂઆતી બે મેચ રમી ચુક્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link