સેલ્ફી વિથ જગન્નાથઃ ઝી 24 કલાકના અભિયાનને લોકોએ વધાવ્યું

Thu, 04 Jul 2019-3:52 pm,

રથયાત્રા નિમિત્તે ઝી 24 કલાક દ્વારા 'સેલ્ફી વિથ જગન્નાથ' નામનું એક અભિયાન ચલાવાયું હતું, જેને રાજ્યના લોકોએ વધાવી લીધું હતું.   

ભગવાન જગન્નાથના ભક્તોએ ટીવી પર જીવંત પ્રસારિત થઈ રહેલી રથયાત્રામાં નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથ સાથે સેલ્ફી ખેંચીને ઝી ટીવીને મોકલી આપી હતી. ઝી ટીવીએ લોકોએ મોકલેલી આ 'સેલ્ફી વિથ જગન્નાથ'ની તસવીરોનું ટીવી પર પ્રસારણ કર્યું હતું. 

અમદાવાદમાં નિકળેલી રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.   

અનેક લોકો રથયાત્રામાં જોડાઈ ન શક્તાં તેમણે ઘરે રહીને ટીવી પર થઈ રહેલું રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈને રથયાત્રામાં જોડાવાનો આનંદ લીધો હતો.   

ઝી 24 કલાકના 'સેલ્ફી વિથ જગન્નાથ' અભિયાનમાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો અને પરિવારના દરેક સભ્યની અલગ-અલગ તસવીર ખેંચીને મોકલી હતી.   

અમદાવાદની રથયાત્રામાં ઝી 24 કલાક દ્વારા એક વિશેષ ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link