આર્મી ડે પર જાણો ભારતીય સેનાની અજાણી વાતો અને ઈતિહાસ
ભારતીય સેનાને આઝાદી પહેલા સુધી બ્રિટિશ ઈન્ડિયન આર્મી તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય સેનાને પોતાનો પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ મળ્યા હતા.
15 જાન્યુઆરી 1949ના ભારતીય સેનાની કમાન બ્રિટિશ જનરલ Francis Butcher પાસેથી ફીલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પાના હાથમાં આવી ગઈ હતી. આ સાથે બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાંથી બ્રિટિશ શબ્દ કાયમ માટે દૂર થઈ ગયો હતો અને તેને ઈન્ડિયન આર્મી કહેવામાં આવ્યું હતું. ફીલ્મ માર્શલ કે એમ કરિઅપ્પા આઝાદ ભારતના પ્રથમ આર્મી ચીફ બન્યા હતા. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે 15 જાન્યુઆરીને સેના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.
ભારતીય સેના સર્વ-સ્વયંસેવી દળ છે અને તેમાં દેશના સક્રિય રક્ષા કર્મીઓનો 80 ટકાથી વધુ ભાગ છે. ભારતીય સેના વિશ્વની એકમાત્ર એવી સેના છે, જેની પાસે 12 લાખથી વધુ સક્રિય સૈનિક છે તો 9 લાખથી વધુ રિઝર્વ ફોર્સમાં છે.
ભારતીય સેના જેટલી દેશની જનતાની રક્ષા કરવા માટે તત્પર રહે છે, તેટલી જ વિશ્વપણ તેની ક્ષમતાને માને છે. ભારતીય સેનાના નામે વિશ્વની સૌથી ઊંચી જગ્યા પર પુલ બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. હિમાલચની ટોંચ પર 18 હજાર 379 ફુટની ઉંચાઈ પર સેના દ્વારા નિર્મિત પુલનું નામ બેલી બ્રિઝ છે.
વિશ્વભરમાં ભારતીય સેના એકમાત્ર તેવી સેના છે જે માત્ર પોતાના દુશ્મનોના હુમલાનો જવાબ આપે છે. ભારતીય સેનાના નામે ક્યારેય કોઈપણ દેશ પર પહેલા હુમલો ન કરવાનો કે તેને કબજે કરવાનો કોઈપણ રેકોર્ડ નથી.
દારૂખાના-હથિયારોના મામલામાં ભારતીય સેના વિશ્વમાં ચોથા સ્થાન પર આવે છે. ભારતીય સેનાની પાસે યોગ્ય અગ્નિ અને પૃથ્વી બેલિસ્ટિક મિસાઇલો છે, જે તેને શક્તિશાળી બનાવે છે.