શનિનો મીનમાં પ્રવેશ થતા જ આ રાશિવાળાના જીવનમાં થવા લાગશે `ચમત્કાર`, ધનલાભ થશે, સાડાસાતી-ઢૈય્યામાંથી મળશે મુક્તિ!
શનિને જ્યોતિષમાં સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ સાથે જ શનિદેવ ન્યાયના દેવતા તરીકે પણ જાણીતા છે. હાલ શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. 15 નવેમ્બરના રોજ શનિ કુંભ રાશિમાં માર્ગી એટલે કે સીધી ચાલ ચલશે. શનિ ધીમી ગતિથી ગોચર કરે છે. આથી એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. હવે શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરશે. વર્ષ 2025માં 29 માર્ચના રોજ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે જે કેટલીક રાશિઓ માટે ખુબ લાભકારી રહેશે. જાણો તે લકી રાશિઓ વિશે...
કર્ક રાશિ હાલ શનિની ઢૈય્યાનો સામનો કરી રહી છે. શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે તેની સાથે જ ઢૈય્યાથી મુક્તિ મળશે. જેનાથી કર્ક રાશિવાળાને ખુબ સફળતા મળશે. કર્ક રાશિના જાતકો કરિયરમાં સારું પ્રદર્શન કરશે. ઓફિસમાં સારી પદોન્નતિ મળશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.
શનિ જેવા મીન રાશિમાં પ્રવેશ કરશે કે વૃશ્ચિક રાશિવાળા પર શનિની ઢૈય્યા સમાપ્ત થઈ જશે. વૃશ્ચિક રાશિવાળાના જીવનમાં પૈસો આવશે. જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારીઓ માટે સારો સમય રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે.
શનિનો મીન રાશિમાં પ્રવેશ થતા જ મકર રાશિવાળાની સાડા સાતી સમાપ્ત થશે. આર્થિક તંગીથી છૂટકારો મળશે. કાર્યક્ષેત્રે નવી ઓળખ બનાવશે. અટવાયેલા કામો પૂરા થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.