એક જ દિવસે બે જબરદસ્ત મોટા ફેરફાર, અઢી વર્ષ સુધી આ રાશિઓને થશે અપાર ધનલાભ, જાણે કુબેરનો ખજાનો મળશે
29 માર્ચ 2025ના રોજ રાતે 11.01 વાગે શનિનું રાશિ પરિવર્તન થશે. શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ મીન રાશિમાં અઢી વર્ષ રહેશે. આ દિવસે જ સૂર્યગ્રહણ પણ થશે. જો કે તે ભારતમાં દેખાશે નહીં. જાણો ભાગ્યશાળી રાશિઓ વિશે.
સિંહ રાશિ: સૂર્યગ્રહણના દિવસે જ શનિનું ગોચર સિંહ રાશિવાળા માટે ખુબ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને પરેશાનીઓથી છૂટકારો મળશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. શનિના પ્રભાવથી જીવનના દરેક મોરચે સફળતા મળશે. કાર્યસ્થળે મોટી જવાબદારી મળી શકે છે. વેપારમાં લાભ થશે અને આવકમાં વધારો થઈ શકે છે.
તુલા રાશિ: શનિ ગોચર તુલા રાશિવાળા માટે પણ ફાયદાકારક રહેશે. શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે. આર્થિક પરેશાનીઓથી મુક્તિ અપાવશે. માર્ચ 2025 બાદ તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેશે.
મીન રાશિ: મીન રાશિવાળા માટે શનિનું રાશિ પરિવર્તન સુખ સમૃદ્ધિ લઈને આવશે. આ સમયગાળામાં તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આવકના નવા માર્ગ ખુલશે. અટકેલા કામ પાર પડી શકે છે. નોકરી કરનારાઓ માટે આ સમય વરદાનથી જરાય કમ નથી. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. ધન ભેગુ કરવામાં સફળ રહેશો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.