Shani jayanti 2023: 5 રાશિના લોકો માટે શુભ છે શનિ જયંતી, મળશે કાર્યમાં સફળતા અને અપાર ધન

Fri, 12 May 2023-7:29 am,

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્ર અને શનિ અનુકૂળ ગ્રહો છે. એટલા માટે શનિ હંમેશા વૃષભ રાશિના લોકો પર કૃપાદ્રષ્ટિ રાખે છે. વૃષભ રાશિના લોકોને શનિ જયંતિ શુભ ફળ આપશે. આ લોકોને ધન, પદ, માન-સન્માન બધું જ મળશે. જીવનમાં ખુશીઓ આવશે.

તુલા રાશિનો સ્વામી શુક્ર પણ છે અને આ રાશિમાં શનિ ઉચ્ચ સ્થાનમાં રહે છે. એટલા માટે તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી અને પશુને ભોજન કરાવવાથી શનિદેવની કૃપાથી તેમને અપાર સફળતા આપશે.

કર્ક રાશિના લોકો પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે. તેમને માતા-પિતાનો સહયોગ મળશે. કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થશે. કરિયરમાં પ્રગતિ થશે. કોઈ મોટી સફળતા તમને પ્રસન્ન કરશે. નાણાંકીય લાભની પણ શક્યતાઓ છે.

શનિ કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે. કુંભ રાશિના લોકો માટે શનિ જયંતિ રાહત લાવનાર સાબિત થશે. આ સમયે તેમને ધન લાભ થશે. તમને મહેનત, પ્રેમ અને સન્માનનું ફળ મળશે.

મકર રાશિનો સ્વામી ગ્રહ પણ શનિ છે. આ રાશિના જાતકો પર પણ શનિદેવના આશીર્વાદ રહેશે. શનિના પ્રભાવથી મકર રાશિના લોકોમાં નેતૃત્વ ક્ષમતા સારી હોય છે. શનિ જયંતિ નોકરી-ધંધામાં પ્રગતિ કરાવશે. રાજકારણમાં સક્રિય લોકોને પણ ફાયદો થશે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link