Shani Mangal Yuti: 30 વર્ષ બાદ બનશે આ અશુભ યોગ, શનિ-મંગળ આ 4 રાશિઓને પાયમાલ કરશે

Tue, 09 May 2023-9:13 pm,

મંગળ ક્રોધ અને હિંસાનો કારક છે. શનિ દુ:ખ, દરિદ્રતાનું કારણ છે. જ્યારે પણ કુંડળીમાં બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. આ યોગ 4 રાશિઓ માટે 2 મહિના સુધી સંકટનો સમય લાવશે. આ લોકોને દુ:ખ, રોગ, દેવું, ચિંતા, દુર્ભાગ્ય અને કષ્ટોનો સામનો કરવો પડશે.

કર્ક રાશિના જાતકોએ ષડાષ્ટક યોગમાં સાવધાની રાખવાની જરૂર છે. મિલકતના મામલામાં વિવાદ જોવા મળી શકે છે. પૈસાના રોકાણમાં સાવધાની રાખવી પડશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ષડાષ્ટક યોગ સિંહ રાશિના લોકોના જીવનમાં તણાવ અને સમસ્યાઓ લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર છે. ખર્ચમાં વધારો થશે.

ષડાષ્ટક યોગ કુંભ રાશિના જાતકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ દરમિયાન માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત જીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. વાહન સાથે અકસ્માત થવાની સંભાવના છે.

ધનુ રાશિના લોકોના ખર્ચમાં વધારો થઈ શકે છે. માનસિક રીતે પરેશાન રહી શકો છો. જીવનસાથી સાથે કેટલાક મતભેદ થઈ શકે છે.

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link