Shaniwar Upay: શનિવારે કરેલા આ 5 મહા ઉપાયથી શનિદેવ થાય છે પ્રસન્ન, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Fri, 03 May 2024-4:56 pm,

હિન્દુ ધર્મમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શનિવારના દિવસે જો તમે કાળા તલ, અડદ, ગોળ, તેલ કે કાળા વસ્ત્રનું દાન કરો છો તો શનિદેવની કૃપા હંમેશા રહે છે. 

જો તમને અથાગ પ્રયત્નો છતાં પણ નોકરી નથી મળી રહી તો શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે 9 દીવા કરો અને ત્યારપછી તેની પરિક્રમા કરો. કહેવાય છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

 આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો શનિવારના દિવસે દીવો કરો તો તેમાં લવિંગ ઉમેરી દેવું. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. 

જો કુંડળીમાં શનિદોષ હોય તો શનિવારે "ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્ચરાય નમ:" મંત્રનો 108 વખત જાપ કરવો. તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે. 

શનિવારના દિવસે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કાગડાને અને કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવો. કહેવાય છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link