Shubh Yoga:2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત

Tue, 23 May 2023-11:34 am,

એવું માનવામાં આવે છે કે ગુરુ પુષ્ય યોગમાં શુભ વસ્તુઓ ખરીદવામાં આવે તો સુખ, સમૃદ્ધિ, ધન અને સૌભાગ્યમાં વધારો થાય છે. આ વખતે આ યોગ 25 મે 2023ના રોજ બની રહ્યો છે. આ દિવસ એટલા માટે પણ ખાસ બન્યો છે કારણ કે આ દિવસે વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ રચાઈ રહ્યા છે.

એવામાં પુષ્ય યોગના દિવસે ગુરુ જે પણ શુભ કાર્ય કરે છે, તેમાં અનેકગણો વધારો થાય છે. આ દિવસે લગ્ન સિવાય અન્ય તમામ શુભ કાર્યો કરી શકાય છે. જણાવી દઈએ કે નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને નક્ષત્રોમાં રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે.

જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય છે ત્યારે આ દુર્લભ યોગ બને છે. ગુરુ પુષ્ય યોગને ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 25 મેના રોજ આ યોગ સૂર્યોદયથી સાંજના 5.54 સુધી છે. આ કિસ્સામાં, ખરીદી સાંજે 5:54 વાગ્યા સુધી કરી શકાશે.

આ દિવસે સોનું ખરીદવાથી ધન અને સૌભાગ્ય વધે છે. આ દિવસે હળદર ખરીદવી શુભ માનવામાં આવે છે. હળદર ખરીદવાથી ભાગ્ય વધે છે. તમે ગુરુ પુષ્ય યોગમાં ચણાની દાળની સાથે પીળા કપડાં, પિત્તળ, ઘી પણ ખરીદી શકો છો.

ગુરુ પુષ્ય યોગમાં સોના કે ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ. તેનાથી કરિયરમાં પ્રગતિ થાય છે. સાથે જ ધાર્મિક પુસ્તકો ખરીદવાથી પણ ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. તેની ZEE 24 KALAK પુષ્ટી કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link