Shukra Gochar 2023: શુક્ર આ રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલી ઉભી કરશે, નકારાત્મક ઘટનાઓથી થશે સામનો!
શુક્ર વૃષભ અને તુલા રાશિના સ્વામી માનવામાં આવે છે. તે મીન રાશિમાં ઉચ્ચ અને કન્યા રાશિમાં નીચ હોય છે. તો મકર અને કુંભ લગ્ન માટે અનુકૂળ માનવામાં આવે છે.
શુક્રએ 30 મે 2023ના સાંજે 7.39 મિનિટે ગોચર કર્યું. તેમનો પ્રવેશ ચંદ્રમાની રાશિ કર્કમાં થયો છે અને અહીં શુક્ર 7 જુલાઈ સવારે 3.59 કલાક સુધી રહેશે.
આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક રાશિઓ માટે અશુભ રહેશે. બીજી તરફ, 3 રાશિઓ છે, જેમને શુક્રના આ ગોચરને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
તુલા રાશિના લોકો માટે શુક્રનું ગોચર અશુભ રહેશે. કાર્યસ્થળ પર વિવાદ વધી શકે છે. વ્યાપારીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર પડશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો.
શુક્રનું સંક્રમણ ધનુ રાશિના લોકો માટે અશુભ પરિણામોની વર્ષા કરશે. વધુ પડતો ખર્ચ પાછળથી મુશ્કેલીનું કારણ બની શકે છે. જીવનમાં નકારાત્મક ઘટનાઓ બનશે. પૈસાનું રોકાણ જોખમી સાબિત થઈ શકે છે.
શુક્ર ગોચરની અસરને કારણે કુંભ રાશિના લોકોના શત્રુઓ પ્રબળ રહેશે. કાર્યક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથીદારો કોઈ ષડયંત્ર રચી શકે છે. વાદ-વિવાદ ટાળો અને તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાને આધારે છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતી નથી)