365 દિવસ બાદ તુલા રાશિમાં બનશે માલવ્ય રાજયોગ, આ જાતકોને થશે જબરદસ્ત લાભ, ભાગ્યનો પણ મળશે સાથ

Tue, 27 Aug 2024-4:45 pm,

દૈત્યોના ગુરૂ શુક્ર એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે અને તેની અસર દરેક જાતકો પર જોવા મળે છે. મહત્વનું છે કે 18 સપ્ટેમ્બરે શુક્ર પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરશે. સ્વરાશિમાં આવતા શુક્ર માલવ્ય રાજયોગનું નિર્માણ કરશે. આ રાજયોગ બનવાથી ઘણા જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. કરિયર અને બિઝનેસમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ માલવ્ય રાજયોગ બનવાથી કયાં જાતકોને મળશે બમ્પર લાભ.

શુક્ર આ રાશિના સાતમાં ભાવમાં બિરાજમાન રહેશે. તેવામાં માલવ્ય રાજયોગનું નિર્માણ આ ભાવમાં થવાનું છે. તેવામાં આ રાશિના જાતકોને વેપાર અને નોકરીમાં વિશેષ લાભ મળવાનો છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમારા કામની પ્રશંસા થશે. આ સાથે પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને પણ સફળતા મળી શકે છે. ઓફિસમાં લાંબા સમયથી ચાલી રહેલા વાદ-વિવાદમાં થોડી આગ ભડકી શકે છે. તેથી ખુદને બચાવીને ચાલો, તો તમારા કરિયર માટે સારૂ રહેશે. વેપાર કરનાર જાતકોને વિશેષ લાભ મળી શકે છે. કોઈ નવી બિઝનેસ ડીલ સાઈન થઈ શકે છે. તેવામાં તમને વધુ ધનલાભ થઈ શકે છે. વાહન, પૈતૃક સંપત્તિથી તમને લાભ મળી શકે છે. લગ્ન જીવન પણ સારૂ રહેશે. આ સાથે સ્વાસ્થ્યનો પણ સાથ મળશે.

આ રાશિના લગ્ન ભાવમાં માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શુક્ર પોતાની રાશિમાં હોવાથી તે અનેક ગણો બળશાળી થઈ જાય છે. તેવામાં તુલા રાશિના જાતકોને પણ વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. પૈસાની જે તંગીનો સામનો લાંબા સમયથી કરવો પડી રહ્યો છે, તેમાં હવે છુટકારો મળશે. તેવામાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કરિયરના ક્ષેત્રમાં પણ અપાર સફળતાની સાથે પ્રમોશનનો યોગ બની રહ્યો છે. જો તમે રોકાણ કરવા ઈચ્છો છો તો કરી શકો છો. આવનારા સમયમાં તેનાથી તમને સારૂ રિટર્ન મળશે. દાંપત્ય જીવન અને લવ લાઇફ સારી રહેવાની છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 

આ રાશિમાં શુક્ર અગિયારમાં ભાવમાં રહેવા આવવાના છે. તેવામાં માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તમને અપાર ધનલાભ મળવાની સંભાવના જોવા મળી રહી છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. બિઝનેસની વાત કરીએ તો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે. વરિષ્ઠ અધિકારી તમારા કામથી સંતુષ્ટ થઈ શકે છે. તેવામાં તમને પ્રમોશન સાથે સારો પગાર મળી શકે છે. નવા દોસ્તો બની શકે છે. આ સાથે લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે.  

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link