7 દિવસ બાદ આ રાશિઓના નસીબ આડેથી પાંદડું હટશે, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે, અપાર સફળતા મળશે!

Sat, 28 Sep 2024-10:15 am,

દૈત્યોના ગુરુ શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે.  જેની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ હાલ શુક્ર સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં બિરાજમાન છે. જ્યારે ઓક્ટોબરની શરૂઆતમાં એટલે કે 5 ઓક્ટોબરના રોજ નક્ષત્ર પરિવર્તન કરીને વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્ર પોતાના મિત્ર ગુરુના નક્ષત્રમાં જવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર કરશો. જીવનમાં ખુશીઓ આવશે. વૈદિક પંચાંગ મુજબ શુક્ર 5 ઓક્ટોબરના રોજ સવારે 12.20 કલાકે વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 16 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 27 નક્ષત્રોમાં વિશાખા એ 16મું નક્ષત્ર છે. જેના સ્વામી ખુદ દેવગુરુ  ગુરુ છે. આ નક્ષત્રમાં શુક્રના જવાથી જાતકોને સુખ અને સમૃદ્ધિ, ઉપલબ્ધિઓ, શક્તિ અને ખુશીઓ મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

મેષ રાશિના જાતકો પર શુક્રની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકોને તેમના મિત્રો, પરિવાર અને સહયોગીઓનો પૂરેપૂરો સાથ મળશે. આ સાથે જ હવાઈ મુસાફરી કરી શકો છો. કરિયરની વાત કરીએ તો તમારી અંદર એક નવી આશા જાગશે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે. કોઈ મોટી જવાબદારી મળી શકે છે. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. મલ્ટી લેવલ માર્કેટિંગના વેપારમાં પણ ખુબ સફળતા મળી શકે છે. જીવનમાં નવી ખુશીઓનું આગમન થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રોની મદદથી કમાણી થઈ શકે છે. જીવનસાથીનો પૂરેપૂરો સાથ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.  

મિથુન રાશિમાં પંચમ ભાવમાં શુક્ર ચાલ બદલશે. આવામાં આ રાશિના જાતકોને વેપારમાં ખુબ સફળતા મળી શકે છે. કરિયરની વાત કરીએ તો તમારા કામની ખુબ પ્રશંસા થશે. પુરસ્કારની સાથે સાથે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. શેર માર્કેટમાં રોકાણ કરવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. સટ્ટાબાજી વગેરેથી વધુ કમાણી થઈ શકે છે. જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે. જીવનસાથી સાથે સામંજસ્ય વિક્સિત થશે. આવામાં તમે એકબીજા માટે સમય આપી  શકશો.

સિંહ રાશિમાં શુક્ર ત્રીજા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને જીવનમાં અપાર સફળતાની સાથે ધનલાભ થશે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે. શુક્રની સાથે સાથે ગુરુની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખુબ માનપાન મળી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. વિદેશમાં વેપાર કરતા જાતકોને પણ ખુબ સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ ધીરે ધીરે સારી થઈ શકે છે. કમાણીના નવા રસ્તા ખુલશે. જીવનમાં શાંતિ જળવાશે. જીવનસાથી સાથે સારો તાલમેળ રહેશે.   

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link