Shukra Gochar July 2024 : જુલાઈમાં શુક્રનું ડબલ ગોચર, આ 5 જાતકોને થશે ખુબ કમાણી, રાજા સમાન જીવન જીવશે
શુક્રનું ડબલ ગોચર મેષ રાશિના જાતકો માટે સૌથી ફળદાયી સાબિત થશે. તમને કારોબારમાં સફળતા મળશે અને આવક વધશે. તમારા માટે કરિયરમાં નવી તકનો સંયોગ બની રહ્યો છે. વેપારમાં આગળ વધવા માટે આ સમયે તેમાં રોકાણ કરવું તમારા માટે ફાયદામાં રહેશે. તમે કોઈ નવી પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. પરિવારમાં ખુશીઓ રહેશે અને લગ્ન જીવનમાં ખુશીઓની પ્રાપ્તિ થશે. ઉપાયના રૂપમાં તમારે દર શુક્રવારે સફેદ મિઠાઈથી માતા લક્ષ્મીને ભોગ લગાવો.
કર્ક રાશિના લોકો માટે શુક્રનું ગોચર તમારા જીવન સ્તરમાં સુધાર લાવવાનું છે. શુક્રના શુભ પ્રભાવથી તમારા જીવનમાં ધનનું આગમન થશે અને તમારી સુખ સુવિધામાં વધારો થશે. કારોબારમાં તમારી આવક વધશે અને ધંધો સારો ચાલશે. તમારા માટે આકસ્મિક ધનલાભનો યોગ પણ બની રહ્યો છે અને તમને કરિયરમાં આગળ વધવાની તક મળશે. તમારી આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવનમાં સુધાર થશે અને તમે પ્રગતિ માટે સકારાત્મક પ્રયાસ કરશો. ઉપાયના રૂપમાં દર શુક્રવારે ગૌમાતાની સેવા કરો અને લીલું ઘાસ ખવળાવો.
શુક્રનું ગોચર તુલા રાશિનો લોકો માટે અત્યંત શુભફળયાદી માનવામાં આવી રહ્યું છે. તમને કારોબારમાં જોરદાર સફળતા મળવાનો યોગ છે. બેરોજગાર લોકોના હાથમાં અચાનક સફળતા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. તમે પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિના પથ પર આગળ વધશો. તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે અને ઓફિસમાં તમને સન્માન પ્રાપ્ત થશે. ઉપાયના રૂપમાં તમે જરૂરીયાત મંદ લોકોને શુક્રવારે ફળનું દાન કરો.
શુક્રનું ગોચર તમારી રાશિના ભાગ્ય ભાવમાં અને તમારા માટે સફળતાના દ્વાર ખોલશે. તમારી આવકમાં વધારો થશે અને અચાનક તમારા ધનમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન તમારી અંદર રચનાત્મકતા વધશે અને સાથે આત્મવિશ્વાસ તથા સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા ભાગ્ય ભાવમાં શુક્રના ગોચરથી તમારા લગ્ન જીવનમાં સુખ વધશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. તમે ભાગ્યશાળી સાબિત થશો અને નવી નોકરી મેળવવામાં સફળ થશો. ઉપાયના રૂપમાં તમે દર શુક્રવારે પાણીમાં અત્તર નાખી સ્નાન કરો.
શુક્રના ડબલ ગોચરનો મકર રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે. આ દરમિયાન તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારો કામધંધો સારો ચાલશે. નોકરીમાં તમારા માટે પગાર વધારો અને પ્રમોશનનો યોગ બની રહ્યો છે. આ દરમિયાન તમારૂ મન ધાર્મિક કાર્યોમાં લાગશે અને ઘરમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે. તમે સોના અને ચાંદીના આભૂષણની ખરીદી કરશો. અટવાયેલા નાણા પરત મળશે અને કારોબારમાં શાનદાર પ્રગતિ થશે. ઉપાયના રૂપમાં શુક્રવારે ગરીબોને વસ્ત્રનું દાન કરો.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.